Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદ્ધના અને અપવર્તનાકરણ
૪૫૫
બંધાવલિકા,- અબાધા, અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ સહિત એક આવલિકા આટલી સ્થિતિ છોડી શેષ સ્થિતિ ઉદ્વર્તનાને યોગ્ય છે એમ સમજવું, કારણ કે બંધાવલિકા અંતર્ગત દલિક સકલ કરણને અયોગ્ય છે માટે બંધાતી સ્થિતિની અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિ ઉદ્વર્તનને અયોગ્ય છે, કેમ કે તેટલી સ્થિતિ અતીત્થાપનારૂપે પહેલાં કહી છે, માટે અબાધાની અંતર્ગત સ્થિતિ પણ ઉદ્વર્તનાને યોગ્ય નથી તથા એક આવલિકા અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિઓ ઉપર કહેલ યુક્તિથી ઉદ્વર્તનાને યોગ્ય નથી. માટે ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી બંધાવલિકા, અબાધા પ્રમાણ સ્થિતિ અને આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ સ્થિતિઓ છોડી શેષ સ્થિતિઓ ઉદ્વર્તનાને યોગ્ય છે, એમ કહ્યું છે.
આ રીતે ઉદ્વર્તનાને યોગ્ય સ્થિતિઓનો વિચાર કર્યા પછી ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયરૂપ સ્થિતિઓનો વિચાર કરે છે.
જ્યારે ઉપરના સ્થિતિસ્થાનકથી આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ ઓળંગી-ઊતરી નીચેની પહેલી સ્થિતિની ઉદ્વર્તન કરે ત્યારે તેનાં દલિકોને તેની ઉપરના સ્થાનકથી આવલિકા પ્રમાણ સ્થાનકો ઓળંગી છેવટના આવલિકાના અસંખ્યાતમાં ભાગપ્રમાણ સ્થાનકોમાં નાખે છે, તે જઘન્ય નિક્ષેપ છે, એ પહેલાં કહ્યું છે. તેની નીચેની બીજી સ્થિતિની ઉદ્વર્તન કરે ત્યારે સમયાધિક આવલિકાનો અસંખ્યાતમો ભાગ નિક્ષેપના વિષયરૂપ થાય છે,
જ્યારે તેની નીચેના ત્રીજી સ્થિતિની ઉદ્ધવર્તન કરે ત્યારે બે સમયાધિક આવલિકાનો અસંખ્યાતમો ભાગ નિક્ષેપના વિષયરૂપ થાય છે. અહીં દરેક સ્થળે અતીત્થાપના સ્થિતિઓ આવલિકા પ્રમાણ જ રહે છે, નિક્ષેપ વધે છે. અને એ પ્રમાણે નિક્ષેપના વિષયરૂપ સ્થિતિઓમાં સમય સમયની વૃદ્ધિ થતાં ત્યાં સુધી વધે છે–ચાવત્ ઉત્કૃષ્ટ થાય છે.
ઉત્કૃષ્ટ નિક્ષેપ કેટલો થાય તે કહે છે. સમયાધિક આવલિકા અને અબાધા હીન સંપૂર્ણ કર્મસ્થિતિ એ ઉત્કૃષ્ટ નિક્ષેપ છે તે આ પ્રમાણે_બંધાતી સ્થિતિની અબાધા પ્રમાણ સ્થિતિની ઉદ્વર્તના થતી નથી. તેની ઉપર રહેલ સ્થિતિની ઉદ્ધવર્ણના થાય છે. એ પહેલાં આવી ગયેલ છે. તે અબાધાની ઉપર રહેલ સ્થિતિની ઉદ્વર્તન કરે ત્યારે તે સ્થિતિસ્થાનના દલિકનો નિક્ષેપ અબાધા ઉપરનાં સ્થિતિસ્થાનકોમાં થાય છે, અબાધાની અંદરનાં સ્થિતિસ્થાનકોમાં થતો નથી. કારણ કે જે સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે તેના દલિકનો નિક્ષેપ જે સ્થિતિની ઉદ્ધના કરે છે તેની ઉપરનાં સ્થાનકોમાં જ થાય છે. તેમાં પણ જે સ્થિતિની ઉદ્વર્તન કરે છે તેની ઉપરના સ્થિતિસ્થાનકથી આરંભી આવલિકા પ્રમાણ સ્થિતિ ઓળંગી ઉપરની સઘળી સ્થિતિઓમાં દલિક નિક્ષેપ કરે છે.
એટલે ઉપર એમ કહેવામાં આવ્યું છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે બંધાવલિકા, અબાધા, અને આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ
પ્રખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ સ્થિતિ છોડી શેષ સ્થિતિઓની ઉદ્ધર્તના થાય છે.
અહીં ઉદ્વર્તનને યોગ્ય જે સ્થિતિઓ કહી છે તેમાંના કોઈ પણ સ્થિતિનાં દલિકોને તેના ઉપરના સમયથી એક આવલિકા છોડી ઉપરનાં સ્થાનોમાં પ્રક્ષેપે છે, એટલે કે તેટલાં મોડાં ફળ આપવા યોગ્ય કરે છે એમ સમજવું.