Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદ્ધત્તના અને અપવર્તનાકરણ
અર્થ—અતીત્થાપનાની આવલિકા પૂર્ણ થતા સુધી ઉદયાવલિકાની ઉપરનાં સ્થિતિસ્થાનકોની અપવર્ઝના ઉપર કહ્યા પ્રમાણે કરે છે. એ અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી નિક્ષેપ વિષયક સ્થિતિ સમયાધિક ત્રીજો ભાગ રહે છે.
ટીકાનુ—પૂર્વોક્ત રીતિએ ઉદયાવલિકાની ઉ૫૨ ૨હેલાં સ્થિતિસ્થાનોની ત્યાં સુધી અપવર્ઝના કરે યાવત્ અતીત્થાપનાવલિકા પૂર્ણ થાય. જ્યાં સુધી અતીત્થાપનાની આવલિકા પૂર્ણ ન થાય ત્યાં સુધી નિક્ષેપનાં વિષય રૂપ સ્થિતિસ્થાનો સમયાધિક આવલિકાનો ત્રીજો ભાગ જ રહે છે. અતીસ્થાપનાની આવલિકા પૂર્ણ થયા પછી અતીસ્થાપના આવલિકા જ રહે છે. નિક્ષેપનાં વિષયરૂપ સ્થિતિસ્થાનો વધે છે. અને તે નિક્ષેપનાં વિષયરૂપ સ્થિતિસ્થાનો અતીસ્થાપનાવલિકા રહિત કર્મની સંપૂર્ણ સ્થિતિ પ્રમાણ છે. ૧૦
અપવર્તનાનો સામાન્ય નિયમ કહે છે—
इच्छोवट्टणठिइठाणगाउ उल्लंघिऊण आवलियं । निक्खिव तद्दलियं अह ठितिठाणेसु सव्वेसु ॥ ११ ॥
૪૬૩
ईप्सितापवर्त्तनीयस्थितिस्थानादुल्लङ्घ्य आवलिकाम् ।
निक्षिपति तद्दलिकमथ स्थितिस्थानेषु सर्व्वेषु ॥११॥
અર્થ—ઇષ્ટ અપવર્તનીય સ્થિતિસ્થાનકથી આવલિકા ઓળંગી તેના દલિકને સઘળાં સ્થિતિસ્થાનોમાં નાખે છે.
ટીકાનુ—જે જે સ્થાનકની અપવર્ઝના કરવી ઇષ્ટ હોય—એટલે કે જીવ જે જે સ્થિતિસ્થાનકની અપવર્ત્તના કરે તેના દલિકને તેની નીચેના સ્થાનકથી આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી નીચે રહેલાં સઘળાં સ્થાનકોમાં નાખે છે. આ પ્રમાણે હોવાથી જ્યારે સત્તામાં રહેલ સ્થિતિમાંહેના છેલ્લા સ્થિતિસ્થાનની અપવર્ત્તના કરે ત્યારે તેના દલિકને તેની નીચેના સ્થાનકથી આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનકો ઓળંગી નીચે રહેલાં સઘળાં સ્થિતિસ્થાનોમાં નાખે છે—નાખી શકે છે. જે સમયે કર્મ બંધાય તે સમયથી એક આવલિકા ગયા બાદ તેની અપવર્ત્તના કરે છે. માટે બંધાવલિકા વ્યતીત થયા બાદ સમયાધિક અતીસ્થાપનાવલિકા રહિત સંપૂર્ણ કર્મસ્થિતિ એ ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયરૂપ છે. અને નવમી ગાથામાં કહેલ સમયાધિક આવલિકાના ત્રીજા ભાગરૂપ સ્થિતિ જઘન્ય નિક્ષેપના વિષયરૂપ છે, ૧૧. ઉપરોક્ત ગાથામાં કહેલ હકીકતને જ ગાથા દ્વારા કહે છે—
उदयावलिउवरित्थं ठाणं अहिकिच्च होड़ अइहीणो । निक्खेवो सव्वोवरिठिठाणवसा भवे परमो ॥१२॥
उदयावलिकोपरिस्थं स्थानमधिकृत्य भवत्यतिहीनः । निक्षेपः सर्वोपरिस्थितिस्थानवशाद् भवेत्परमः ॥१२॥
અર્થ—ઉદયાવલિકા ઉપર રહેલ સ્થાન આશ્રયી અતિ જઘન્ય નિક્ષેપ છે, અને