Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૩૭
આટલા દીર્ઘકાળ પર્વત ગુણ તથા ભવપ્રત્યયિક બંધના અભાવથી તેમ જ સંક્રમ તથા યથાસંભવ ઉદય અને ઉદીરણા દ્વારા સત્તામાંથી ઘણાં જ દલિકો ક્ષય પામે છે. માટે એકસો બત્રીસ સાગરોપમ આદિ કાળ બતાવેલ છે.
સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાનકે યથાસંભવ ચારે આયુષ્યનો બંધ કરી તે તે આયુષ્યના ઉદય યોગ્ય ભવમાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે ચરમસમયનાં દલિકોને નીચે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગમાં અપવર્તનાથી સંક્રમાવે ત્યારે ચારેય આયુષ્યના અપવર્તના રૂપ સ્વસંક્રમની અપેક્ષાએ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
બીજા જીવો કરતાં જેઓને ઔદારિક સપ્તકના ઓછામાં ઓછાં દલિકો સત્તામાં છે એવા જીવો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં ત્રણ પલ્યોપમ સુધી ભવપ્રત્યયિક બંધનો અભાવ હોવાથી અને વિધ્યાત સંક્રમ તથા ઉદય-ઉદીરણાથી સત્તામાંથી ઘણાં જ દલિકો દૂર કરી પોતાના આયુષ્યના અંતે ઔદારિક સપ્તકના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
પુરુષવેદ અને સંજવલન ક્રોધાદિ ત્રણ આ ચાર પ્રકૃતિઓના ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે બંધ વિચ્છેદ સમયે માત્ર છેલ્લે સમયોન બે આવલિકા કાળમાં બાંધેલ દલિક જ સત્તામાં રહે છે. પણ તે પહેલાંનું બંધાયેલ સત્તામાં હોતું નથી.
સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાને વર્તમાન પોત-પોતાના બંધવિચ્છેદ સમયે જે દલિક બાંધે છે. તે દલિકને બંધ આવલિકા વીત્યા બાદ અન્ય પ્રકૃતિમાં સંક્રમાવવાની શરૂઆત કરે છે. અને સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમ સમયે બંધ વિચ્છેદ સમયે બંધાયેલ દલિકનો પણ જે છેલ્લો અસંખ્યાતમો ભાગ સર્વ સંક્રમથી સંક્રમાવે છે ત્યારે આ ચારેય પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશ સંક્રમના સ્વામી છે.
અહીં મૂળમાં તથા ટીકામાં સંજવલના લોભના જઘન્ય પ્રદેશ સંક્રમના સ્વામી બતાવેલ નથી, તેનું કારણ સમજાતું નથી, પરંતુ ઉપશમશ્રેણિ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રથમ આવલિકા અંત્ય સમયે સંજ્વલન લોભના જઘન્ય પ્રદેશ સંક્રમના સ્વામી છે.
ઉપશમશ્રેણિમાં ગુણસંક્રમ દ્વારા અનધ્યમાન અશુભપ્રકૃતિઓના લોભમાં ઘણાં દલિતો આવે તેથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય, માટે એક પણ વાર ઉપશમ શ્રેણિ કર્યા વિના અને ક્ષપકશ્રેણિમાં પણ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓના લોભમાં ગુણસંક્રમથી ઘણાં દલિકો આવે અને સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ તેઓનો પણ અન્યત્ર સંક્રમ થાય તેથી સંજ્વલન લોભનો જઘન્યપ્રદેશ સંક્રમ ન થાય માટે જ અપૂર્વકરણ ગુણસ્થાનકથી પ્રથમ આવલિકાના ચરમ સમયે સંજ્વલન લોભના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે એમ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગાથા ૯૮ની ટીકામાં બતાવેલ છે.
ઇતિ સંક્રમણકરણ સારસંગ્રહ