Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદત્તના અને અપવર્દનાકરણ
૪૪૯
એક આવલિકા કે સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ અતિસ્થાપના છે, તે વિવેચનમાંથી જણાશે. અબાધા પ્રમાણ સ્થિતિમાં ઉદ્ધત્તના જ થતી નથી એમ સમજવાનું નથી, પરંતુ તેના નિયમ પ્રમાણે અબાધાની સ્થિતિઓમાં થાય છે, એટલે કે ઉદયાવલિકાગત દલિકોને છોડી ઉપરના સ્થાનમાંનાં દલિકોને એક આવલિકા પછી ઉદયમાં આવનાર દલિકો સાથે ઉદયમાં આવવા યોગ્ય કરે છે. માત્ર અબાધા સ્થાનોમાંનાં દલિકોને અબાધા વીત્યા બાદ ફળ આપે તેવાં કરતો નથી.
ઉર્જાના-અપવત્તના કરે-એટલે શું કરે ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવાનું કે નિષેક સમયે કર્મદલિકને જે સમયે ફળ આપવા યોગ્ય નિયત કર્યાં હોય તેને મોડાં ફળ આપવા યોગ્ય કે વહેલા ફળ આપવા યોગ્ય કરે છે મોડાં ફળ આપવા યોગ્ય કરે તેને ઉર્દૂના અને વહેલાં ફળ આપવા યોગ્ય કરે તેને અપવર્તના કહેવામાં આવે છે. મોડાં ફળ આપવા યોગ્ય કરે તો ઓછામાં ઓછું આવલિકા કે આવલિકાનો અસંખ્યાતમો ભાગ મોડાં ફળ આપવા યોગ્ય કરે છે, અને વહેલાં ફળ આપવા યોગ્ય કરે તો કમમાં કમ એક આલિકા કે સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ જેટલાં વહેલાં ફળ આપે તેમ કરે છે.
દાખલા તરીકે—મતિજ્ઞાનાવરણીયનાં જે દલિકો જે સમયે ફળ આપે તેવી રીતે નિયત થયા હોય તેને ત્યાર પછીના સમયથી આરંભી ઓછામાં ઓછી એક આવલિકા કે આવલિકાના અસંખ્યાતમા ભાગ પછી ફળ આપી શકે તેવાં કરે તે ઉર્જાના અને એક આવલિકા કે સમયન્યૂન બે તૃતીયાંશ આવલિકા જેટલો કાળ વહેલાં ફળ આપે તેવાં કરે તે સ્થિતિની અપવર્ત્તના કહેવાય છે.
તાત્પર્ય એ કે, અમુક અમુક સ્થાનકોમાંનાં દલિકોને મોડાં ફળ આપે તેવાં કરવાં તે ઉર્જાના અને વહેલાં ફળ આપે તેવ્ન કરવાં તે અપવર્ત્તના કહેવાય છે. રસની ઉત્તના અપવર્તનામાં પણ તેમજ સમજવાનું છે. એટલે કે જે સ્થાનકમાંના દલિકના રસની ઉર્જાના કરવાની હોય તેના રસને તેના ઉપલા સ્થાનકથી પ્રારંભી એક આવલિકા પછી-મોડાં ફળ આપે તેવાં દલિકોમાં મેળવી તેમાં રહેલા રસ જેટલા રસવાળા કરવા તે રસની ઉત્તના, અને જે સ્થાનકમાંના દલિકના રસની અપવર્ઝના કરવાની હોય તેના રસને તેના પછીના સ્થાનકથી આરંભી એક આવલિકા પહેલાં-વહેલાં ફળ આપે તેવાં દલિકોમાં મેળવી તેમાં રહેલ રસ જેટલા રસવાળા કરવા તે રસની અપવત્તના કહેવાય છે. ઉપર ઉપરનાં સ્થાનકોમાં દલિકો અલ્પ, પરંતુ વધારે વધારે રસવાળા હોય છે. અને નીચે-નીચેનાં સ્થાનકોમાં દલિકો વધારે પરંતુ અલ્પ-અલ્પ રસવાળાં હોય છે. તેથી નીચેનાં સ્થાનકોનાં દલિકો ઉપરનાં સ્થાનકોમાં એટલે કે બંધ સમયે મોડાં મોડાં ફળ આપવા માટે નિયત યેલાં સ્થાનકોમાં પડે ત્યારે રસ વધે છે, અને ઉપરનાં સ્થાનકોનાં દલિકો નીચેનાં સ્થાનકોમાં પડે ત્યારે રસ ઘટે છે, એમ કહેવામાં આવે છે.
અહીં સંક્રમણ અને ઉર્જાના-અપવર્તનામાં એટલો તફાવત છે કે, જે સ્થાનકોમાંનાં દલિકો સંક્રમે છે—અન્ય પ્રકૃતિરૂપે થાય છે તે દલિકોનું સ્થાન બદલાતું નથી, માત્ર સ્વરૂપ બદલાય છે. એટલે કે જે સ્થાનકોમાં દલિકો રહ્યાં હોય તે જ સ્થાનકોમાં દલિકો રહે છે. પરંતુ સ્વરૂપ પલટાઈ જાય છે. જેમકેમતિજ્ઞાનાવરણીયની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરનાં અસંખ્ય સ્થાનકોનાં દલિકો બંધ સમયે જ્યાં ગોઠવાયાં હતાં ત્યાં જ રહીને અન્ય સ્વરૂપે-શ્રુતજ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે થાય છે. પરંતુ ઉર્જાના-અપવર્તના થાય ત્યારે સ્થાનનું પરાવર્તન જરૂર થાય છે, કેમ કે કાં તો મોડાં ફળ આપે તેવાં અથવા વહેલાં ફળ આપે તેમ કરવાનું હોય છે. મોડાં ફળ આપે તેમ કરવાનું હોય તો મોડાં ફળ આપે તેની સાથે ગોઠવવાનાં હોય છે અને વહેલાં ફળ આપે તેમ કરવાનું હોય તો વહેલાં ફળ આપે તેની સાથે ગોઠવવાનાં હોય છે. એટલે ઉદ્ધૃત્તના, અપવત્તના નિષેકરચનામાં ફેરફાર કરે છે. ઉર્જાના બંધની સાથે સંબંધ રાખે છે માટે સત્તામાંની સ્થિતિ કે રસ વધારેમાં વધારે જેટલી સ્થિતિ કે જેટલો રસ બંધાય ત્યાં સુધી વધે છે. અપવર્નના બંધની સાથે સંબંધ રાખતી નથી. તેથી શ્રેણિઓમાં અત્યંત નિર્મળ પરિણામ દ્વારા બંધથી પણ સત્તામાં અલ્પરસ થાય છે. અહીં એક વાત ખાસ લક્ષ્યમાં રાખવી કે જે જે સ્થાનકોમાંનાં દલિકોનું સંક્રમણ આદિ થાય તે તે પંચ ૨-૫૭