Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૯૬
પંચસંગ્રહ-૨
તથા હાસ્યષકનો ઉપશમ થયા પછી સમયોન બે આવલિકા સુધી ૧૪, અને પુરુષવેદનો ઉપશમ થયા બાદ ૧૩, એમ ત્રણ સંક્રમસ્થાનો હોય છે.
પાંચના પતગ્રહમાં ક્ષાયિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં અંતરકરણ ન કરે ત્યાં સુધી તથા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧, ક્ષાયિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંજવલન લોભ વિના ૨૦, એને જ નપુંસકવેદના ઉપશમ પછી ૧૯, સ્ત્રીવેદના ઉપશમ પછી ૧૮ તથા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયના ક્ષય પછી ૧૩, અંતરકરણ કર્યા બાદ સંજવલન લોભ વિના ૧૨, નપુંસકવેદના ક્ષય પછી ૧૧, સ્ત્રીવેદના ક્ષય પછી ૧૦, અથવા ઉપશમ સમ્યક્તીને ઉપશમણિમાં સંજ્વલન ક્રોધની પતગ્રહતા નષ્ટ થયા બાદ પાંચના પતંગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૩, અપ્રત્યા, પ્રત્યા. બે ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૧૧ સંજવલન ક્રોધનો ઉપશમ થયા પછી અંતર્મુહૂર્ત સુધી ૧૦, એમ આઠ સંક્રમસ્થાનો હોય છે.
સાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદ પતઘ્રહ થાય ત્યારે ચારના પતંગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૮, એને જ હાસ્યષર્કનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૧૨, પુરુષવેદના ઉપશમ પછી ૧૧, અને ઔપથમિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં સંજવલન માન અપગ્રહ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૧૦, અથવા ક્ષપકશ્રેણિમાં પુરુષવેદ અપતટ્ઠહ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૧૦ અને ઔપથમિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાની બે માનનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૮, તથા એને જ સંજવલન માનનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૭, અને ક્ષપકશ્રેણિમાં હાસ્યષનો ક્ષય થયા પછી ચારના પતધ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૪, એમ સાત સંક્રમસ્થાનો હોય છે.
ક્ષાયિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં સંજવલન ક્રોધ અપતટ્ઠહ થાય ત્યારે સંજવલન માયા વગેરે ત્રણના પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી મધ્યમના આઠ કષાય અને સંજવલન ક્રોધાદિક ત્રણ એ ૧૧, તથા એને જ અપ્રત્યા. પ્રત્યા. એ બે ક્રોધનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૯, અને એને જ સંજવલન ક્રોધનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૮, તેમજ ઔપથમિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં સંજવલન માયા અપતટ્ઠહ થયા બાદ સંજવલન લોભ અને મિશ્ર તથા સમ્યક્વમોહનીય એ ત્રણના પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યા. વગેરે ત્રણ માયા, બે લોભ, મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ ૭, અને તેને જ બે માયાનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૫, અને સંજવલન માયાના ઉપશમ પછી અંતર્મુહૂર્ત સુધી ૪, તેમજ ક્ષપકશ્રેણિમાં પુરુષવેદના ક્ષયની સાથે જ સંજવલન ક્રોધ અપગ્રહ થવાથી શેષ ત્રણના પતધ્રહમાં સંજ્વલન લોભ વિના ૩, એમ ત્રણના પતંગ્રહમાં સાત સંક્રમસ્થાનો હોય છે.
ક્ષાયિક સમ્મીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માન અપતગ્રહ થાય બાદ માયા અને લોભ એ રના પતંગ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ માન, ત્રણ માયા અને બે લોભ એ ૮, અને બે માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૬,