Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૯૮
પંચસંગ્રહ-૨ કેટલાક આચાર્યોના મતે ૨૪ની સત્તાવાળા સાસ્વાદન સમ્યગ્દષ્ટિને દર્શનત્રિક વિના ૨૧નો બધ્યમાન ૨૧માં, મિશ્ર ગુણઠાણે બધ્યમાન ૧૭માં, ૨૨ની સત્તાવાળા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ચોથે ગુણઠાણે પણ બધ્યમાન ૧૭માં, પાંચમે ૧૩માં, છઠે, સાતમે તથા આઠમે ૯માં, અને ઔપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિની અંદર અંતરકરણમાં નપુંસકવેદના ઉપશમ પછી ૭માં, અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને નવમા ગુણઠાણે આઠ કષાયનો ક્ષય ન થાય અથવા અંતરકરણ ન કરે ત્યાં સુધી બધ્યમાન પમાં, એમ છ પતગ્રહમાં થાય છે.
હવે પછીનાં સંક્રમસ્થાનો માત્ર શ્રેણિમાં નવમા ગુણઠાણે જ પ્રાપ્ત થાય છે. પરંતુ બેનો સંક્રમ દસમે અને અગિયારમે ગુણઠાણે હોય છે, એ વિશેષતા છે.
ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સ્ત્રીવેદનો ઉપશમ થયા બાદ ૨૦નો સંક્રમ ૭માં, પુરુષવેદ અપગ્રહ થયા પછી પુરુષવેદ વિના ચાર સંજ્વલન, મિશ્ર તથા સમ્યક્ત મોહનીય એ દુમાં, તેમજ ક્ષાયિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભ વિના ૨૦નો બધ્યમાન પમાં, એમ ત્રણ પતäહમાં થાય છે. એ જ જીવને નપુંસકવેદનો ઉપશમ થયા બાદ ૧૯નો સંક્રમ બધ્યમાન પાંચ પ્રકૃતિરૂપ એક જ પતઘ્રહમાં થાય છે. તેને જ સ્ત્રીવેદના ઉપશમ પછી ૧૮નો સંક્રમ પ્રથમ બધ્યમાન પમાં, અને પુરુષવેદ અપતટ્ઠહ થયા બાદ ૪માં, એમ બે પતંગ્રહમાં થાય છે.
ઉપશમ સમ્યવીને ઉપશમશ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ ૧૪નો સંક્રમ ચાર સંજ્વલન, મિશ્ર તથા સમ્યક્વમોહનીય એ છ પ્રકૃતિરૂપ એક પતઘ્રહમાં અને એ જ જીવને પુરુષવેદનો ઉપશમ થયા બાદ ૧૩નો સંક્રમ પ્રથમ એ જ ૬માં, અને સંજવલન ક્રોધ અપતગ્રહ થયા પછી શેષ પમાં, અથવા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયના ક્ષય પછી પણ પમાં, એમ બે પતથ્રહમાં થાય છે.
ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભ વિના ૧રનો સંક્રમ પમાં, તથા ક્ષાયિકસમ્યક્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ ૪માં, એમ બે પતદ્ગહમાં થાય છે.
ઔપથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં ૧૧નો સંક્રમ સંવલન ક્રોધ અપતટ્ઠહ થયા બાદ પમાં, અથવા ક્ષપકશ્રેણિમાં નપુંસકવેદનો ક્ષય થયા પછી પમાં, અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદના ઉપશમ પછી ૪માં, તેમજ સંજ્વલન ક્રોધ અપતટ્ઠહ થયા પછી ૩માં, એમ ત્રણ પતઘ્રહમાં થાય છે.
' ઉપશમ સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં સંજવલન ક્રોધના ઉપશમ પછી ૧૦નો સંક્રમ પમાં, અને સંજ્વલન માન અપતગ્રહ થાય ત્યારે એ જ જીવને ૪માં થાય છે. અથવા ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદના ક્ષય પછી બધ્યમાન પાંચમાં અને પુરુષવેદની અપતટ્ઠહતા થાય ત્યારે સમયોન આવલિકા સુધી ચારમાં દશનો સંક્રમ થાય છે.
ક્ષાયિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા. પ્રત્યા. ક્રોધનો ઉપશમ થયા પછી નો