Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૮
પંચસંગ્રહ-૨
અનંતાનુબંધિની ઉદ્ધલના થયા પછી, અને હાસ્યષક તથા પુરુષવેદ એ સાત નોકષાયોનો ક્ષય થયા પછી તેઓનો સંક્રમ થતો નથી. તથા ત્રણ દષ્ટિઓનો ઉપશમ થવા છતાં પણ સંક્રમ થાય છે. આ સર્વનો વિચાર કરી જે સંક્રમસ્થાન જ્યાં અને જ્યારે ઘટે તે ત્યાં ઘટાવી લેવું. કયું સંક્રમસ્થાન ક્યાં ઘટે છે તે વિસ્તારથી અગિયારમી ગાથામાં કહ્યું છે ત્યાંથી જોઈ લેવું. ૧૬.
હવે જે જે સંક્રમસ્થાનો જે જે ગુણસ્થાનકોમાં સંભવે છે તેને ત્યાં પ્રતિપાદન કરતાં કહે છે –
आमीसं पणुवीसो इगवीसो मीसगाउ जा पुव्वो । मिच्छखवगे दुवीसो मिच्छे य तिसत्तछव्वीसो ॥१७॥
आमिश्रं पञ्चविंशतिरेकविंशतिर्मिश्रकाद् यावदपूर्वः ।
मिथ्यात्वक्षपके द्वाविंशतिः मिथ्यात्वे च त्रिसप्तषड्विंशतिः ॥१७॥
અર્થ_મિશ્ર ગુણસ્થાનક પર્યત પચીસ પ્રકૃતિરૂપ, મિશ્ર ગુણસ્થાનકથી અપૂર્વકરણ પર્યત એકવીસ પ્રકૃતિરૂપ મિથ્યાત્વ ક્ષેપકને બાવીસ પ્રકૃતિરૂપ અને મિથ્યાત્વ ગુણઠાણે ત્રેવીસ, સત્તાવીસ અને છવ્વીસ પ્રકૃતિરૂપ, સંક્રમસ્થાનો હોય છે.
ટીકાનુ–પચીસ પ્રકૃતિરૂપ સંક્રમસ્થાન મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી, મિશ્ર ગુણસ્થાનક પર્યન્ત હોય છે, અન્યત્ર હોતું નથી. તથા મિશ્ર ગુણસ્થાનકથી આરંભી અપૂર્વકરણ ગુણસ્થાનક પર્યત એકવીસ પ્રકૃતિરૂપ સંક્રમસ્થાન હોય છે. શેષ ગુણસ્થાનકોમાં હોતું નથી.
મિથ્યાત્વના ક્ષેપક અવિરતિ સમ્યગ્દષ્ટિ દેશવિરતિ, સર્વવિરતિ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે બાવીસ પ્રકૃતિનું સંક્રમસ્થાન હોય છે, અન્યત્ર હોતું નથી. તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે અને ગાથામાં ગ્રહણ કરેલ “ઘ' શબ્દ વડે અવિરતિ, દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકોમાં પણ ત્રેવીસ, સત્તાવીસ અને છવ્વીસ એમ ત્રણ સંક્રમસ્થાનકો હોય છે. શેષ ગુણસ્થાનકોમાં હોતાં નથી.૨ ૧૭.
હવે પદ્મહસ્થાનો અઢાર જ હોય છે, વધારે ઓછાં હોતાં નથી તેમાં યુક્તિનો ઉપન્યાસ કરતાં કહે છે –
खवगस्स सबंधच्चिय उवसमसेढीए सम्ममीसजुया । मिच्छखवगे ससम्मा अट्ठारस इय पडिग्गहया ॥१८॥
क्षपकस्य स्वबन्धा एवोपशमश्रेण्यां सम्यक्मिश्रयुताः ।
मिथ्यात्वक्षपके ससम्यक्त्वाः अष्टादशेति पतद्ग्रहाः ॥१८॥ ૧. અહીં સમ્યક્ત મોહનીયનો અન્ય પ્રકૃતિનયન સંક્રમ થતો નથી, પરંતુ અપવર્તના સંક્રમ થાય છે. મિશ્ર તથા મિથ્યાત્વ મોહનીયનો જ અન્ય પ્રકૃતિ નયન સંક્રમ થાય છે, એમ સમજવું.
૨. ત્રેવીસનો સંક્રમ ઉપશમ સમ્યક્તને ઉપશમ શ્રેણિમાં આઠમા ગુણસ્થાનકે તથા અંતકરણ ન કરે ત્યાં સુધી નવમા ગુણસ્થાનકે પણ હોય છે. પરંતુ અહીં શ્રેણિ વિનાના સાત ગુણ સ્થાનકની અપેક્ષાએ બતાવેલ છે.