Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬૪
પંચસંગ્રહ-૨
समयाहिआवलिए आऊण जहण्णजोगबंधाणं । उक्कोसाऊ अंते नरतिरिया उरलसत्तस्स ॥११८॥
समयाधिकावलिकायां आयुषां जघन्ययोगबद्धानां ।।
उत्कृष्टायुषः अन्ते नरतिर्यञ्चः उरलसप्तकस्य ॥११८॥ અર્થ—જઘન્યયોગ વડે બંધાયેલા સઘળા આયુની સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. ઉત્કૃષ્ટ આયુવાળા મનુષ્ય તિર્યંચો પોતાના આયુના અંત સમયે ઔદારિક સપ્તકનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે.
ટીકાનું–જઘન્ય યોગ વડે બંધાયેલા આયુની સત્તામાં જ્યારે સમયાધિક એક આવલિકા શેષ રહે ત્યારે તેઓનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. આયુકર્મમાં આ સંક્રમ સ્વસ્થાનમાં જ સમજવો, કારણ કે આયુકર્મમાં અન્ય પ્રકૃતિનયન સંક્રમ જ થતો નથી. એટલે ઉદયાવલિકા ઉપરના સમયનું દલિક અપવર્તના વડે નીચે ઉતારવા રૂપ અપવના સંક્રમ સમજવો, અન્ય પ્રકૃતિનયન સંક્રમ નહિ.
ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ આયુવાળા મનુષ્યો અને તિર્યંચો પોતાના આયુના અંતે ઔદારિક સપ્તકનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. તાત્પર્ય એ કે—કોઈ એક જીવ અન્ય સઘળા જીવોની અપેક્ષાએ સર્વ જઘન્ય ઔદારિક સપ્તકની પ્રદેશ સત્તાવાળો હોય, એવો તે જીવ ત્રણ પલ્યોપમ આયુવાળા યુગલિક તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય. તે યુગલિક આત્મા ઔદારિક સપ્તકને ઉદય-ઉદીરણા વડે અનુભવતાં અને વિધ્યાતસંક્રમ વડે પર પ્રકૃતિમાં સંક્રમાવતાં પોતાના આયુના ચરમ સમયે તે ઔદારિક સપ્તકનો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. એક તો અન્ય જીવોની અપેક્ષાએ અલ્પ સત્તાવાળો છે, અને ત્રણ પલ્યોપમ સુધી ઉદય-ઉદીરણા વડે ભોગવી તેમજ વિધ્યાસક્રમ વડે અન્યમાં સંક્રમાવી અલ્પ કરે છે. એટલે છેવટે અલ્પ પ્રદેશની સત્તાવાળા તે ઔદારિક સપ્તકનો જઘન્ય પ્રદેશસંક્રમ કરી શકે છે. ૧૧૮
पुंसंजलणतिगाणं जहण्णजोगिस्स खवगसेढीए । सगचरिमसमयबद्धं जं छुभइ सगंतिमे समये ॥११९॥
पुंसंज्वलनत्रिकाणां जघन्ययोगिनो क्षपकश्रेण्यां । स्वकचरिमसमयबद्धं यत् छुभति स्वकान्तिम समये ॥११९॥
અર્થ–ક્ષપકશ્રેણિમાં વર્તમાન જઘન્યયોગવાળા આત્માએ પુરુષવેદ અને સંજ્વલનત્રિકનું પોતપોતાના બંધના અંત સમયે જે દલિક બાંધ્યું, તેને પોતપોતાના અંત સમયે જે સંક્રમાવે તે તેઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે.