Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૦
પંચસંગ્રહ-૨
ઓગણત્રીસમાં છનું કર્મપ્રકૃતિઓ સંક્રમાવે છે.
તીર્થંકરનામ સાથે દેવગતિ યોગ્ય ઓગણત્રીસ પ્રકૃતિઓ બાંધતાં છ—ની સત્તાવાળા અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત આત્માઓને તીર્થકર નામકર્મની બંધવલિકા વીત્યા પહેલાં ઓગણત્રીસમાં પંચાણું કર્યપ્રકૃતિઓ સંક્રમે છે. તથા તિર્યંચગતિ પ્રાયોગ્ય ઓગણત્રીસ કર્મપ્રકૃતિઓ બાંધતાં પંચાણુંની સત્તાવાળા એકેન્દ્રિયાદિ જીવોને બંધાતી તે ઓગણત્રીસમાં પંચાણું કર્મપ્રકૃતિઓ સંક્રમે છે.
ત્રાણું, ચોરાશી અને વ્યાશી એ ત્રણ સંક્રમસ્થાનો માટે ત્રીસના પતધ્રહમાં જેમ કહ્યું તેમ ઓગણત્રીસના પતઘ્રહમાં પણ સમજી લેવું.
આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ પછી યશકીર્તિરૂપ બંધાતી એક પ્રકૃતિના પતંગ્રહમાં યશ-કીર્તિહીન પ્રથમ સત્તાચતુષ્ક સંક્રમે છે. તાત્પર્યાર્થ આ પ્રમાણે–ચશકીર્તિરૂપ પતઘ્રહમાં આઠ સંક્રમસ્થાનકો સંક્રમે છે. તે આ પ્રમાણે–૧૦૨, ૧૦૧, ૯૫, ૯૪, ૯૮, ૮૮, ૮૨ અને ૮૧..
તેમાં એકસો ત્રણ કર્મપ્રકૃતિઓની સત્તાવાળાને, બધ્યમાન યશકીર્તિ પતઘ્રહ હોવાથી તેના વિના શેષ એકસો બે કર્મપ્રકૃતિઓ એક યશકીર્તિમાં સંક્રમે છે. એ પ્રમાણે એકસો બેની સત્તાવાળાને એકસો એક, છન્ની સત્તાવાળાને પંચાણું અને પંચાણુંની સત્તાવાળાને ચોરાણું પ્રકૃતિઓ સંક્રમે છે. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ પછી માત્ર એક યશકીર્તિ જ બંધાય છે, અન્ય કોઈપણ નામકર્મની પ્રકૃતિનો બંધ થતો નથી. બંધાતી તે પ્રકૃતિ જ પતધ્રહ છે તેથી તેના સિવાય એકસો બે આદિ કર્મપ્રકૃતિઓ એક યશકીર્તિમાં સંક્રમે છે તથા એકસો ત્રણ પ્રકૃતિની સત્તાવાળાને ક્ષપકશ્રેણિમાં નવમે ગુણઠાણે નામકર્મની નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, પંચેન્દ્રિયજાતિ સિવાય જાતિ ચતુષ્ક, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને ઉદ્યોત એ તેર પ્રકૃતિઓનો ક્ષય થયા પછી તેના સિવાય અને યશ-કીર્તિ પતગ્રહ હોવાથી તેના સિવાય નેવ્યાશી કર્મપ્રકૃતિઓ યશકીર્તિમાં રમે છે. એ પ્રમાણે એકસો બેની સત્તાવાળાને તેર પ્રકૃતિનો ક્ષય થયા બાદ ઇક્યાશી, છન્ની સત્તાવાળાને ખ્યાશી અને પંચાણુંની સત્તાવાળાને નામકર્મની તેર પ્રકૃતિઓ ક્ષય થયા પછી એકયાસી પ્રકૃતિઓ યશકીર્તિમાં સંક્રમે છે. આઠમાના છઠ્ઠા ભાગ પછીથી અન્ય કોઈ પતગ્રહ નહિ હોવાથી યશ-કીર્તિનો સંક્રમ થતો નથી. માટે તેને સંક્રમનારી પ્રકૃતિઓમાંથી ઓછી કરવામાં આવે છે. ૩૧.
पढमचउक्कं आइल्लवज्जियं दो अणिच्च आइल्ला । संकमहिं अट्ठवीसे सामी जहसंभवं नेया ॥३२॥ प्रथमचतुष्कमादिमवर्जितं द्वे अनित्ये आदिमे ।
संक्रामन्ति अष्टाविंशतौ स्वामिनो यशासंभवं ज्ञेयाः ॥३२॥ અર્થ–પહેલા વર્જિત પ્રથમ સત્તા ચતુષ્ક માંહેનાં ત્રણ સત્તાસ્થાનો અને અનિત્ય સંજ્ઞાવાળાં શરૂઆતનાં બે સત્તાસ્થાનો અઠ્ઠાવીસમાં સંક્રમે છે. સ્વામી યથાસંભવ સમજવા.
ટીકાનુ–પ્રથમ સત્તાચતુષ્કમાંહેનું શરૂઆતનું એકસો ત્રણ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન છોડી શેષ ત્રણ સત્તાસ્થાનો અને અનિત્ય સંજ્ઞાવાળા શરૂઆતના ત્રાણું અને ચોરાશી એ બે કુલ