Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૦૭
एकस्थानजघन्यं संक्रामति पुरुषसम्यक्त्वसंज्वलनानाम् । इतरासां द्विस्थानं च जघन्यरससंक्रमे स्पर्द्धकम् ॥५६॥ અર્થ—પુરુષવેદ, સમ્યક્ત્વમોહનીય અને સંજ્વલન કષાયનું એકસ્થાનવાળું સર્વ જઘન્ય રસ સ્પર્ધક સંક્રમે છે, અને ઇતર પ્રકૃતિઓનું બે સ્થાનક જઘન્ય રસ સ્પર્ધક સંક્રમે છે.
ટીકાનુ—પુરુષવેદ, સમ્યક્ત્વમોહનીય, સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભનું એકસ્થાનક રસ સંબંધી ઓછામાં ઓછા રસવાળું જે સ્પર્ધક હોય તે જ્યારે સંક્રમે ત્યારે તેઓનો જઘન્ય-અનુભાગ સંક્રમ થયો કહેવાય છે. (આ સંક્રમ ક્યારે થાય તે હવે પછી કહેવાતા ઉત્કૃષ્ટ અને જઘન્યાનુભાગ સંક્રમના સ્વામિત્વાધિકારમાંથી જોઈ લેવું.)
ઇતર—શેષ કર્મપ્રકૃતિઓના જઘન્ય રસ સંક્રમના વિષયમાં બેસ્થાનક રસ સ્પર્ધક સમજવું. એટલે કે—શેષ પ્રકૃતિઓમાં તેઓનું સર્વ જઘન્ય-ઓછામાં ઓછા રસવાળું બે સ્થાનક રસ સ્પર્ધ્વક જ્યારે સંક્રમે ત્યારે તેનો જધન્ય અનુભાગ સંક્રમ થયો એમ કહેવાય છે.
અહીં જો કે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાનાવરણ, ચક્ષુ, અચક્ષુ અને અવધિદર્શનાવરણ તથા અંતરાય પંચક એ પ્રકૃતિઓનો એકસ્થાનક રસ પણ બંધમાં હોય છે— બંધાય છે. છતાં ક્ષયકાળે જ્યારે જઘન્ય રસ સ્પર્ધક સંક્રમે ત્યારે બેસ્થાનક રસ પણ સંક્રમે છે, એટલે કે બેસ્થાનક રસની સાથે એકસ્થાનક રસ પણ સંક્રમે છે, કેવળ એકસ્થાનક રસ સંક્રમતો નથી, માટે તે પ્રકૃતિઓના જઘન્ય રસ સંક્રમના વિષયભૂત એકસ્થાનક રસ કહ્યો નથી.
અહીં શંકા કરનારાઓ એ શંકા કરે કે જ્યારે ઉપરોક્ત પ્રકૃતિઓનો એકસ્થાનક ૨સ બંધાય છે, ત્યારે જઘન્ય રસ સંક્રમકાળે એકસ્થાનક રસ કેમ સંક્રમે નહિ ? તેના ઉત્તરમાં એમ કહ્યું કે, જઘન્ય રસ સંક્રમકાળે તથાજીવસ્વભાવે કેવળ એકસ્થાનક રસ સંક્રમતો નથી પણ પૂર્વબદ્ધ બેસ્થાનક અને એકસ્થાનક બંને સંક્રમે છે માટે તે પ્રકૃતિઓના સંક્રમના વિષયમાં એકસ્થાનક રસ ન કહ્યો. જો તે પ્રકૃતિઓના જઘન્ય રસ સંક્રમના વિષયમાં એકસ્થાનક ૨સ કહ્યો હોત તો છેલ્લે જ્યારે જઘન્ય રસ સંક્રમ થાય ત્યારે કેવળ એકસ્થાનક રસનો જ થાય, બેસ્થાનકનો થઈ શકે નહિ, અને સંક્રમ તો બેસ્થાનક રસનો પણ થાય છે. માટે એક સ્થાનક રસનો સંક્રમ ન કહેતાં બેસ્થાનક રસનો સંક્રમ કહ્યો. બેસ્થાનકમાં એકસ્થાનક સમાય, એકસ્થાનકમાં બેસ્થાનક સમાય નહિ. અહીં રસનો સંક્રમ એટલે તેવા તેવા રસવાળા પુદ્ગલનો સંક્રમ સમજવો. ૫૬.
આ પ્રમાણે જઘન્ય રસ સંક્રમનું પ્રમાણ કહ્યું, હવે તેટલા રસનો સંક્રમાવનાર કોણ હોય ? તે કહેવું જોઈએ, તેમાં—
પહેલાં ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી કોણ હોય તે કહે છે—
बंधिय उक्कसरसं आवलियाओ परेण संकामे । जावंतमुहू मिच्छो असुभाणं सव्वपयडीणं ॥५७॥ बद्ध्वोवात्कृष्टरसं आवलिकायाः परतः संक्रमयति । यावदन्तर्मुहूर्तं मिथ्यादृष्टिः अशुभानां सर्वप्रकृतीनाम् ॥५७॥