Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
પતદ્મહપણામાં રહેતો નથી. કહ્યું છે કે—પ્રથમ સ્થિતિની સમયન્યૂન બે અને ત્રણ આવલિકા શેષ રહે ત્યારે અનુક્રમે પુરુષવેદ અને સંજ્વલન ચતુષ્ક પતદ્ગહપણામાં રહેતા નથી.' માટે પૂર્વોક્ત સાત પ્રકૃતિમાંથી પુરુષવેદ દૂર કરતાં શેષ છના પતદ્રહમાં વીસ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યારપછી છ નોકષાયો ઉપશમે ત્યારે શેષ ચૌદ પ્રકૃતિઓ પૂર્વોક્ત છના પતદ્રુહમાં સંક્રમે છે. છમાં ચૌદ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા પર્યંત સંક્રમે છે. કારણ કે જે સમયે છ નોકષાયો ઉપશમે છે તે સમયે પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય છે તે સમયે સમયન્યૂન બે આવલિકા કાળનું બંધાયેલું જ ઉપશમ્યા વિનાનું શેષ રહે છે, તેનો ઉપશમ અને સંક્રમ સમય ન્યૂન બે આવલિકા કાળ પર્યંત થાય છે. માટે ઉપર કહ્યું છે કે છમાં ચૌદ પ્રકૃતિઓ સમયોન બે આવલિકા સુધી સંક્રમે છે. પુરુષવેદનો ઉપશમ થાય બાદ શેષ તેર પ્રકૃતિઓ છના પતદ્રુહમાં અંતર્મુહૂર્ત પર્યંત સંક્રમે છે.
૨૪૨
ત્યારપછી સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે સંજ્વલન ક્રોધ પણ પતઙ્ગહ થતો નથી માટે પૂર્વોક્ત છમાંથી તેને ઓછો કરતાં શેષ પાંચના પતદ્ગહમાં તે જ તેર પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યારપછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ ઉપશમે ત્યારે શેષ અગિયાર પ્રકૃતિઓ પાંચના પતગ્રહમાં સમયોન બે આવલિકા પર્યંત સંક્રમે છે. અહીં કારણ પુરુષવેદમાં કહ્યું તે પ્રમાણે સમજી લેવું. ત્યારપછી સંજ્વલન ક્રોધ ઉપશમે ત્યારે શેષ દશ પ્રકૃતિઓ તે જ પાંચના પતદ્ગહમાં અંતર્મુહૂર્ત પર્યંત સંક્રમે છે.
ત્યારપછી સંજ્વલન માનની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે સંજ્વલન માન પણ પતઙ્ગહ થતો નથી, માટે પાંચમાંથી તેને દૂર કરતાં શેષ ચારના પતંગ્રહમાં દશ પ્રકૃતિઓ સમય ન્યૂન બે આવલિકા પર્યંત સંક્રમે છે. ત્યારપછી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમે ત્યારે શેષ આઠ પ્રકૃતિઓ ચારના પતગ્રહમાં સંક્રમે છે. સંજ્વલન માન ઉપશમે ત્યારે સાત પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત પર્યંત ચારના પતગ્રહમાં સંક્રમે છે.
ત્યારપછી સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે સંજ્વલન માયા પણ પતગ્રહ થતી નથી. માટે ચારમાંથી તેને દૂર કરતાં શેષ ત્રણના પતગ્રહમાં પૂર્વોક્ત સાત પ્રકૃતિઓ સંક્રમે છે. તે ત્યાં સુધી સંક્રમે છે યાવત્ સમયન્સૂન બે આવલિકા કાળ જાય. ત્યારપછી અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ માયા ઉપશમે ત્યારે શેષ પાંચ પ્રકૃતિઓ ત્રણના પતઙ્ગહમાં સંક્રમે છે. તે ત્યાં સુધી સંક્રમે યાવત્ સમય ન્યૂન બે આવલિકા કાળ જાય. ત્યારપછી સંજ્વલન માયા ઉપશમે ત્યારે શેષ ચાર પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત પર્યંત ત્રણના પતદ્ગહમાં સંક્રમે છે.
ત્યારપછી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ લોભ ઉપશમે ત્યારે શેષ મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય' એ બે પ્રકૃતિમાં સંક્રમે છે. અહીં દર્શનમોહનીય
૧. અહીં એટલું સમજી લેવાનું કે નવમા ગુણસ્થાનકનો સમય ન્યૂન બે આવલિકા.કાળ શેષ રહે ત્યારથી જ સંજ્વલન લોભ પતદ્ગહ થતો નથી ત્યારથી જ બે પ્રકૃતિનો બેમાં સંક્રમ થાય છે એમ સમજવું.