Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૪.
પંચસંગ્રહ-૨
અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ માયાનો ઉપશમ થાય ત્યારે શેષ ત્રણ પ્રકૃતિઓ સંજવલન લોભમાં સંક્રમે છે. તે ત્યાં સુધી સંક્રમે યાવત્ સમય ન્યૂન બે આવલિકા કાળ જાય. ત્યારપછી સંજ્વલન માયા ઉપશમે એટલે અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ એ બે લોભ સંજવલન લોભમાં " અંતર્મુહૂર્ત પર્યત સંક્રમે છે.
ત્યારપછી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે તે બંને લોભ ઉપશમી જાય છે. એટલે દશમા ગુણસ્થાનકે કોઈ પ્રકૃતિનો કોઈ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી. આ પ્રમાણે ઉપશમશ્રેણિમાં વર્તતા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ આશ્રયી સંક્રમ-પતટ્ઠહ વિધિ કહ્યો.
હવે ક્ષપકશ્રેણિમાં વર્તમાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિ આશ્રયી સંક્રમ-પતઘ્રહ વિધિ કહે છે. એકવીસની સત્તાવાળો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે છે.
અનિવૃત્તિનાદર સંપરાય ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા તેને પુરુષવેદ અને સંજવલન ચતુષ્કરૂપ પાંચના પતઘ્રહમાં એકવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. ત્યારપછી આઠ કષાયનો ક્ષય થયે છતે તેર પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત પર્યત પાંચના પતધ્રહમાં સંક્રમે છે. ત્યારપછી અંતરકરણ કરે ત્યારે સંજ્વલન લોભનો સંક્રમ થતો નથી માટે શેષ બાર પ્રકૃતિઓ તે જ પાંચના પતÉગ્રહમાં અંતર્મુહૂર્ત પર્યત સંક્રમે છે. ત્યારપછી નપુંસકવેદનો ક્ષય થયે છતે અગિયાર પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત કાળ પર્યત સંક્રમે છે. સ્ત્રીવેદનો ક્ષય થાય એટલે દશ પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત પર્યત તે જ પાંચના પતઘ્રહમાં સંક્રમે છે.
ત્યારપછી પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા શેષ રહે ત્યારે તે પતંગ્રહ થતો નથી માટે પાંચમાંથી તેને દૂર કરતાં શેષ ચારના પતધ્રહમાં તેજે દશ પ્રવૃતિઓ સમય ન્યૂન બે આવલિકા પર્યત સંક્રમે છે. ત્યારપછી છ નોકષાયોનો ક્ષય થયે છતે શેષ ચાર, પ્રકૃતિઓ સમયોન બે આવલિકા પર્યત તે જ ચારના પતઘ્રહમાં સંક્રમે છે.
જે સમયે પુરુષવેદનો ક્ષય થયો તે સમયે સંજવલન ક્રોધ પણ પતધ્રહપણે હોતા નથી માટે તેના સિવાય શેષ માન, માયા અને લોભ એ ત્રણ પ્રકૃતિઓમાં ક્રોધ, માન અને માયા એ ત્રણ પ્રકૃતિઓ અંતર્મુહૂર્ત પર્યત સંક્રમે છે.
- સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ થયા પછી સમયપૂન બે આવલિકા કાળે સંજવલન ક્રોધનો ક્ષય થાય છે, અને તે જ સમયે સંજવલન માન પતઘ્રહપણે રહેતા નથી માટે શેષ બે પ્રકૃતિનો બે પ્રકૃતિમાં અંતર્મુહૂર્ત પર્યત સંક્રમ થાય છે. સંજવલન માનનો બંધવિચ્છેદ થયા પછી સમયાન બે આવલિકા કાળે સંજ્વલન માનનો પણ સત્તામાંથી નાશ થાય છે. અને તે જ સમયે સંજવલન માયાની પતગ્રહતા પણ રહેતી નથી માટે એક સંજવલન લોભ રૂપ પતગ્રહમાં સંજવલન માયા રૂપ એક પ્રકૃતિ અંતર્મુહૂર્ત પર્યત સંક્રમે છે. સંજવલન માયાનો બંધવિચ્છેદ થયા
૧. સંજવલન લોભ પતઘ્રહપણે હોય ત્યાં સુધી ઉપરોક્ત બે લોભ સંક્રમે. નવમા ગુણસ્થાનકનો સમયગૂન બે આવલિકા કાળ બાકી રહે એટલે સંજ્વલન લોભ પટ્ટપણે રહેતો નથી. ત્યારથી બે લોભનો સંક્રમ થતો નથી પરંતુ એકલો ઉપશમ જ થાય છે. નવમા ગુણસ્થાનકના ચરમ સમયે એ બે લોભ સર્વથા શાંત થઈ જાય છે.