Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ સારસંગ્રહ
૧૯૧
આ ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધની ઉપર જે કંડક પ્રમાણ સ્થિતિસ્થાનો ઉત્કૃષ્ટ રસ બતાવ્યા વિનાનાં બાકી છે તેમાંના ઉપરના પહેલા, બીજા, ત્રીજા, ચોથા યાવત્ સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છેલ્લા સ્થિતિબંધ સ્થાન સુધીનાં દરેક સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ એક એકથી ક્રમશ: અનંતગુણ હોય છે.
સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના જે સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ સ્થાનો જઘન્ય રસ બતાવ્યા વિનાનાં બાકી છે, તેમાંના શરૂઆતના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ આક્રાંત સ્થિતિઓના શરૂઆતનાં પ્રથમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે.
આ શરૂઆતના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના સંખ્યાત ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનના શરૂઆતના બીજા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે.
એમ આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના બાકી રહેલ સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અને અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધથી નીચે નીચે કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો નિરંતર ઉત્કૃષ્ટ રસ અનંતગુણ ત્યાં સુધી હોય છે કે વાવત ત્રણ ચતુષ્કની આક્રાંત સ્થિતિઓમાંના છેલ્લા સ્થિતિસ્થાન સુધીનો ઉત્કૃષ્ટ રસ પૂર્ણ થાય અને તેની નીચે અર્થાત આક્રાંત સ્થિતિઓની નીચે કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય.
આક્રાંત સ્થિતિઓની નીચેના પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આ જ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે થકી કંડકની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય, તે થકી આ જ કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ, તે થકી કંડકની નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય, તે થકી આ જ કંડકના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોય છે.
એમ ત્રણ ચતુષ્કના જઘન્ય સ્થિતિબંધ સુધી નીચે એક-એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપર એક-એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોવાથી હિચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂપ જઘન્ય સ્થિતિબંધ સ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી છેલ્લા કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે, તે થકી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા યાવત્ તે ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાન સુધી ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે.
આ પ્રમાણે અનુભાગ બંધનું સ્વરૂપ કહી હવે સ્થિતિબંધનું સ્વરૂપ કહે છે.