Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
તે આ પ્રમાણે—સાતવેદનીય અને અસાતવેદનીય એ બંનેની સત્તાવાળા સાતવેદનીયના બંધક મિથ્યાદૃષ્ટિથી આરંભી સૂક્ષ્મસંપરાય સુધીના જીવો જ્યારે સાતવેદનીય બાંધે ત્યારે પતદ્મરૂપે તે પ્રકૃતિમાં અસાતવેદનીય સંક્રમાવે છે. એ પ્રમાણે સાત-અસાત વેદનીય એ બંનેની સત્તાવાળા અસાતવેદનીયના બંધક મિથ્યાષ્ટિથી આરંભી પ્રમત્ત સંયત પર્યંતવર્તી આત્માઓ જ્યારે અસાતવેદનીય બાંધે ત્યારે પતદ્મરૂપ તે પ્રકૃતિમાં સાતવેદનીય સંક્રમાવે છે. આ પ્રમાણે સાત-અસાતવેદનીયનું એક પ્રકૃતિરૂપ સંક્રમસ્થાન અને એક પ્રકૃતિરૂપ પતગ્રહસ્થાન હોય છે. તે સંક્રમસ્થાન અને પતગ્રહસ્થાન સાદિ-સાંત છે. કારણ કે વારંવાર પરાવર્તન થવાનો સદ્ભાવ છે.
ઉચ્ચ ગોત્રના બંધક મિથ્યાદૃષ્ટિથી આરંભી સૂક્ષ્મસંપરાયપર્યંતવ આત્માઓ જ્યારે ઉચ્ચ ગોત્ર બાંધે ત્યારે પતગ્રહરૂપ તે પ્રકૃતિમાં નીચ ગોત્ર સંક્રમાવે છે, અને ઉચ્ચ-નીચ બંનેની સત્તાવાળા નીચ ગોત્રના બંધક મિથ્યાર્દષ્ટિ અને સાસ્વાદનગુણસ્થાનવર્તી આત્માઓ જ્યારે નીચ ગોત્ર બાંધે ત્યારે બંધાતી તે પ્રકૃતિમાં ઉચ્ચ ગોત્ર સંક્રમાવે છે. આ પ્રમાણે ગોત્રકર્મમાં પણ એક સંક્રમસ્થાન અને એક પતદ્મહસ્થાનનો સંભવ છે. તે બંને સ્થાન વેદનીયની જેમ સાદિ સાંત છે. મોહનીય, તથા નામકર્મ સિવાય શેષ છકર્મમાં પતગ્રહાદિ
પતગ્રહ | સંક્રમ | સત્તા
૫
૫
૫
કર્મ
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
વેદનીય
1)
૬
૪
૪
૧
19
2
૯
૯
દ
૧
૯
૯ સાધિક એકસો
૬
કાળ
અનાદિઅનંત અનાદિ સાંત
સાદિ સાંત
2
અનાદિ અનંત અનાદિ સાંત
સાદિ સાંત
૯ | અંતર્મુહૂર્ત
-
બત્રીસ સાગરોપમ
અંતર્મુહૂર્ત
અનાદિ અનંત અનાદિ સાંત સાદિ સાંત
ગુણસ્થાન
૧ થી ૧૦
૧લું ૨ જું
૨૩૫
૩થી ૢ ભાગ સુધી
૯ ભાગથી ૧૦મા સુધી
ઉપશમ શ્રેણિ હું ભાગથી
૯માના સંખ્યાતા ભાગ સુધી
ક્ષપક શ્રેણિ
૯માનો છેલ્લો સંખ્યાતમો ભાગને ૧૦મું
૧ થી ૧૦