Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૮
પંચસંગ્રહ-૨ અર્થ–પ્રથમ સ્થિતિની સમયગૂન બે અને ત્રણ આવલિકા શેષ રહે ત્યારે અનુક્રમે પુરુષવેદ અને સંજ્વલનની પતઘ્રહતા હોતી નથી.
ટીકાનુ–અહીં ગાથામાં ગ્રહણ કરેલ છે અને ત્રણ એ શબ્દ સાથે પુરુષવેદ અને સંજવલન ચતુષ્કની ક્રમપૂર્વક યોજના કરવી. એ પ્રમાણે યોજના કરતાં આ પ્રમાણે અર્થ થાય છે. અંતરકરણ કર્યા બાદ સમયપૂન બે આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ શેપ રહે ત્યારે પુરુષવેદની પતૐહતા રહેતી નથી. એટલે કે પુરુષવેદમાં અન્ય કોઈ પણ પ્રકૃતિનું દલિક સંક્રમતું નથી.' તથા સમયગૂન ત્રણ આવલિકા પ્રમાણ પ્રથમસ્થિતિ શેષ રહે ત્યારે સંજવલન ચતુષ્ક-ક્રોધ, માન, માયા અને લોભ પતટ્ઠહરૂપે રહેતા નથી. પ્રથમ સ્થિતિ તેટલી તેટલી શેષ રહે ત્યારે તેની અંદર અન્ય કોઈ પણ પ્રકૃતિનું દલિક સંક્રમતું નથી. આ પ્રમાણે પતધ્રહપણાના વિષયમાં અપવાદ કહ્યો. ૭.
હવે સાદિ અનાદિની પ્રરૂપણા કરવી જોઈએ. તે બે પ્રકારે છે : ૧. મૂળ પ્રકૃતિ વિષયક, અને ૨. ઉત્તર પ્રકૃતિ વિષયક. તેમાં મૂળ કર્મ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ નહિ થતો હોવાથી તેમાં સાદિ અનાદિ પ્રરૂપણા સંભવતી નથી માટે ઉત્તર પ્રવૃતિઓના સંબંધમાં વિચારણા કરે છે.
धुवसंतीणं चउहेह संकमो मिच्छणीयवेयणीए । साईअधुवो बंधोव्व होई तह अधुवसंतीणं ॥८॥ ध्रुवसत्ताकानां चतुर्धेह संक्रमो मिथ्यात्वनीचैर्वेदनीयानाम् ।
साद्यध्रुवो बन्ध इव भवति तथाऽध्रुवसत्ताकानाम् ॥८॥ અર્થ જેઓની ધ્રુવસત્તા છે તેઓનો સંક્રમ સાદિ આદિ ચાર પ્રકારે છે. મિથ્યાત્વ, નીચ ગોત્ર અને વેદનીયનો સંક્રમ સાદિ-સાત્ત છે. અને અદ્ભવસત્તાવાળી પ્રકૃતિઓનો બંધની જેમ સાદિ અને સાંત એમ બે પ્રકારે છે.
ટીકાનુ–સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, નરકદ્ધિક, મનુષ્યદ્ધિક, દેવદ્રિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તીર્થંકરનામ, ઉચ્ચ ગોત્ર એ ચોવીસ પ્રકૃતિઓ અને આયુચતુષ્ક કુલ અઠ્ઠાવીસ પ્રકૃતિઓ અધુવસત્તાવાળી છે, અને શેષ એકસો ત્રીસ કર્મપ્રકૃતિઓની ધ્રુવસત્તા છે.
- હવે સાદ્યાદિ ભંગનો વિચાર કરે છે–મિથ્યાત્વમોહનીય, નીચ ગોત્ર અને માતાઅસતાવેદનીય સિવાય એકસો છવ્વીસ ધ્રુવસત્કર્મપ્રકૃતિઓનો સંક્રમ સાદ્યાદિરૂપે ચાર પ્રકારે હોય છે. તે આ પ્રમાણે—ઉપરોક્ત ધ્રુવસત્કર્મપ્રકૃતિઓનો સંક્રમના વિષયભૂત પ્રકૃતિના–પતઘ્રહ
૧. અહીં એમ શંકા થાય કે સમયનૂન બે કે ત્રણ આવલિકા પ્રમાણ પ્રથમ સ્થિતિ શેષ રહે ત્યારે પતદુગ્રહતા કેમ નષ્ટ થાય ? જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી પતંગ્રહતા કાયમ કેમ ન રહે ? બંધ તો પતદૂગ્રહપણું દૂર થયા પછી સમયવ્ન બે આવલિકા પર્યન્ત થાય છે. અહીં કારણ એમ સમજાય છે કે ઉપરોક્ત પ્રકૃતિઓના અબંધના પહેલા સમયથી માત્ર બંધાયેલું દલિક જ સત્તામાં રહે છે, અન્ય કોઈ પણ પ્રકારનું દલિક રહેતું નથી. હવે જો બંધવિચ્છેદ પર્યન્ત પતટ્ઠહરૂપે ચાલુ રહે તો બંધવિચ્છેદ થયા પછી સંક્રમેલું દલિક પણ સત્તામાં રહે, માટે ઉપરોક્ત કાળ શેષ રહે ત્યારે પતિવ્રતા નષ્ટ થાય એમ સંભવે છે.