Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯૦
પંચસંગ્રહ-૨
અનંતગુણ હોય છે. તે ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી ઉત્કૃષ્ટ રસ બતાવ્યા વિનાના ઉપરનાં ચરમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનો બાકી છે તે દરેકમાં નીચે નીચેના પૂર્વ પૂર્વના સ્થિતિસ્થાન કરતાં ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોય છે.
નીચ ગોત્રમાં પણ આ જ પ્રમાણે તીવ્ર-મંદતા હોય છે. પરંતુ તેની પ્રતિપક્ષ ઉચ્ચ ગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી નીચ ગોત્રમાં અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી દસ કોડાકોડી સાગરોપમ સ્થિતિબંધ સુધીનાં સ્થિતિસ્થાનો આક્રાંત હોય છે. આ વિશેષતા છે.
ત્રણ ચતુષ્કની તીવ્ર-મંદતા વીસ કોડાકોડી સાગરોપમથી અઢાર કોડાકોડી સાગરોપમ સુધી પરાઘાતની સમાન અને અઢાર કોડાકોડી સાગરોપમથી પોતપોતાની જ્યાં સુધી અનુકૃષ્ટિ સંભવે છે, ત્યાં સુધી સાતવેદનીયની જેમ હોય છે.
તે આ પ્રમાણે–વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે જઘન્ય રસ છે, તે અલ્પ છે. તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં, તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં, જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ હોય છે.
એમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ઉપર ઉપરના સ્થિતિસ્થાનથી નીચે નીચેના સ્થિતિસ્થાનમાં જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ હોય છે. પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી કંડકની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય, તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનનો ઉત્કૃષ્ટ રસ, તે થકી કંડકની નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે.
એ જ પ્રમાણે સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ સ્થાન સુધી નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપર ઉપરના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ છે.
અઢાર કોડાકોડી સાગરોપમની ઉપરના એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ આવી ગયેલ છે પરંતુ ઉત્કૃષ્ટ રસ બાકી છે એ યાદ રાખવું.
સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ અર્થાત્ ઉપરના શરૂઆતના પ્રથમના આક્રાંત સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. આ સ્થિતિસ્થાનથી સ્થાવર ચતુષ્કના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધીના ત્રસ ચતુષ્કનાં દરેક સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ તેટલો જ અર્થાત સમાન જ હોય છે. અહીં આક્રાંત સ્થિતિઓ પૂર્ણ થઈ.
આ આક્રાંત સ્થિતિસ્થાનોમાંના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિઓની નીચેના શરૂઆતના પહેલા, બીજા, ત્રીજા, ચોથા યાવતું પ્રથમ કંડકના સંખ્યાતા ભાગો પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના છેલ્લા સ્થિતિસ્થાન સુધીનાં દરેક સ્થિતિસ્થાનોનો પૂર્વ-પૂર્વના ઉપરના સ્થિતિસ્થાનથી નીચે નીચેના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશ: અનંતગુણ હોય છે.