Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
છે, જન્ય અબાધા રહિત પૂર્વ કોટીનો ત્રીજો ભાગ છે માટે. તેનાથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે, જઘન્ય અબાધાનો તેની અંદર સમાવેશ થાય છે માટે. તેનાથી દલિકોની નિષેક રચનામાં દ્વિગુણહાનિનાં સ્થાનો અસંખ્યાતગુણા છે, પલ્પોપમના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયપ્રમાણ છે. માટે તેનાથી દ્વિગુણહાનિના એક આંતરાનાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ છે, પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળમાં રહેલ સમયપ્રમાણ છે માટે. તેનાથી કુલ સ્થિતિબંધસ્થાનો અસંખ્યાતગુણ છે, તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિ વિશેષાધિક છે, જઘન્ય સ્થિતિ અને અબાધાનો તેની અંદર સમાવેશ થઈ જાય છે માટે. આ પ્રમાણે પર્યાપ્ત-અપર્યાપ્ત સંક્ષીપંચેન્દ્રિયમાં સાત કર્મોનું દશ ભેદે અને પર્યાપ્ત સંક્ષીપંચેન્દ્રિયમાં આયુકર્મનું આઠ ભેદે અલ્પબહુત્વ કહ્યું. તથા ‘ત્રિપુ' એ પદના બહુવચનને અનુસરીને આયુકર્મના અલ્પબહુત્વમાં પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિયને પણ ગ્રહણ કર્યા છે. આ અલ્પબહુત્વ પ્રમાણે બીજા જીવોમાં પણ આગમને અનુસરીને અલ્પબહુત્વ જાણી લેવું. તે આ પ્રમાણે-અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય, અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય અને પર્યાપ્ત—અપર્યાપ્ત બાદર-સૂક્ષ્મ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય એ દરેકમાં આયુની જઘન્ય અબાધા અલ્પ છે, તેનાથી જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ છે, ક્ષુલ્લક ભવરૂપ છે માટે. તેનાથી અબાધાસ્થાનો સંખ્યાતગુણા છે, તેનાથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે, તેનાથી પણ સ્થિતિબંધસ્થાનો સંખ્યાતગુણા છે, જઘન્ય સ્થિતિ ન્યૂન પૂર્વકોટિ પ્રમાણ છે માટે. તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, જઘન્યસ્થિતિ અને અબાધાનો તેની અંદર સમાવેશ થાય છે માટે.
પર્યાપ્તા સંશી-અસંશી પંચે.નું આયુઃ કર્મમાં અલ્પબહુત્વ :
૧.
૨.
3.
જઘન્ય અબાધા.
જઘન્યસ્થિતિબંધ.
અબાધા સ્થાનો.
૪. | ઉત્કૃષ્ટ અબાધા.
૫. નિષેકનાં
૬. | દ્વિગુણહાનિનાં એક આંતરાનાં સ્થાનો
૭. | સર્વસ્થિતિ સ્થાનો
અંતર્મુહૂર્ત
જઘન્ય અબાધાસહિત ક્ષુલ્લકભવ પ્રમાણ
જઘન્ય અબાધા રહિત પૂર્વકોટિના ત્રીજા ભાગના
સમયપ્રમાણ
વિશેષાધિક | પૂર્વકોટિના ત્રીજા ભાગપ્રમાણ
દ્વિગુણહાનિનાં સ્થાનો અસં.ગુણ
૮. | ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
અલ્પ.
સંખ્યાતગુણ
સંખ્યાતગુણ
અસં.ગુણ
અસ.ગુણ
પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના
સમયપ્રમાણ
૧૩૧
પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમયપ્રમાણ અબાધારૂપ અંતર્યુ. અધિક ક્ષુલ્લકભવન્યૂન પર્વ ક્રોડના ત્રીજા ભાગે અધિક અસંજ્ઞીને પલ્ય.ના અસંખ્યાતમા ભાગના અને સંશીને ૩૩ સાગરોપમના સમયપ્રમાણ
વિશેષાધિક | પૂર્વક્રોડના ૧ ભાગ અધિક ૩૩ સાગર.સંજ્ઞીને પૂર્વક્રોડના 3 ભાગ અધિક અસંભાગ/પલ્ય અસંજ્ઞીને