Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૪
પંચસંગ્રહ-૨
જીવરાશિથી અનંતગુણ એટલે સાત અધિક કરતાં સાડત્રીસ-આડત્રીસ-ઓગણચાળીસ-ચાળીસ રસાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂપ ચાર વર્ગણાઓનું ચોથું સ્પર્ધ્વક થાય છે. એમ વાસ્તવિક રીતે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ સ્પÁકોનું એક રસસ્થાન થાય છે. પરંતુ અસત્કલ્પનાથી અહીં અભવ્યથી અનંતગુણચારની સંખ્યા લીધેલ હોવાથી આ ચાર સ્પÁકોનું સર્વ જઘન્ય રસવાળું પ્રથમ રસસ્થાન થાય છે એમ સમજવું.
વિવક્ષિત સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ ૫૨માણુઓમાં જેટલો રસસમૂહ હોય તેને એક રસસ્થાન કહેવાય છે.
(૭) કંડક
સર્વ જઘન્ય રસ સ્થાનમાં રહેલા સ્પર્ધ્વકોથી અનંત ભાગ અધિક સ્પÁકોવાળું બીજું રસસ્થાન હોય છે અને બીજા રસસ્થાનના સ્પર્ધ્વકોથી અનંત ભાગ અધિક સ્પÁકોવાળું ત્રીજું રસસ્થાન. એમ પૂર્વ-પૂર્વના સ્થાનમાં રહેલ સ્પર્ધ્વકોથી પછી પછીના સ્થાનમાં અનંત ભાગ અધિક-અધિક સ્પર્ધ્વકો હોય છે. કુલ્લે આવાં સ્થાનો અંગુલ માત્ર ક્ષેત્રના આકાશ પ્રદેશોના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશો જેટલા હોય છે અને તે અનંત ભાગ વૃદ્ધ કંડક કહેવાય છે. કંડક એટલે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતી સંખ્યા. (૮) ષટ્ચાન
આ અનંતભાગ વૃદ્ધના કંડકના છેલ્લા સ્થાનમાં જેટલા સ્પર્ધકો છે તેની પછી અસંખ્યાતભાગ અધિક સ્પર્ધ્વકોવાળું એક સ્થાન હોય છે. ત્યારબાદ પુનઃ અનંતભાગ વૃદ્ધ સ્પર્ધકવાળા નિરંતર કંડક પ્રમાણ સ્થાનો અને ત્યારબાદ પુનઃ અસંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન હોય છે. એમ વારંવા૨ નિરંતર કંડક પ્રમાણ અનંત ભાગ વૃદ્ધનાં સ્થાનો અને અસંખ્યાત ભાગ વૃદ્ધનું એક એક સ્થાન ત્યાં સુધી હોય છે કે યાવત્ વચ્ચે વચ્ચે આવતા અસંખ્યાતભાગ વૃદ્ધનાં સ્થાનો એક કંડક પ્રમાણ થાય. એમ સંખ્યાત ભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યાતગુણ વૃદ્ધ અને અનંતગુણ વૃદ્ધ એ છ પ્રકારનાં સ્થાનો અને પછી અનંતગુણ વૃદ્ધ વિના પાંચ પ્રકારનાં સ્થાનોના અંત સુધીનું નામપ્રત્યય સ્પર્ધ્વકના વિચારમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ ષત્થાન થાય છે. એમ અહીં રસબંધમાં પણ કુલ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ ષત્થાન થાય છે.
અહીં ષડ્થાનમાં સંખ્યાતભાગાદિ ત્રણ પ્રકારના ભાગાકાર અને સંખ્યાત ગુણાદિ ત્રણ પ્રકારના ગુણાકાર બતાવેલ છે. જ્યાં સંખ્યાતભાગાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સ્પÁક સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાથી ભાગતાં જે સંખ્યા આવે તે સંખ્યા અધિક કરવી. એ જ પ્રમાણે જ્યાં સંખ્યાત ગુણાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યા વડે ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યા અધિક કરવી. જ્યાં અસંખ્યભાગાષિક કહેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને અસંખ્યાત લોકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાત સંખ્યા વડે ભાગવાથી જેટલી સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક કહેવી. જ્યાં અસંખ્યાત ગુણાધિક કહેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાત વડે ગુણવાથી જેટલી સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક કહેવી. જ્યાં અનંત ભાગાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સંખ્યા વડે ભાગવાથી