Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮૪
પંચસંગ્રહ-૨ સ્થિતિબંધ સ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી કંડકના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, તે થકી શરૂઆતના સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તેના કરતાં કંડકના ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, તે થકી શરૂઆતના બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સ્થાનનો અર્થાત્ ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે કરતાં કંડકની ઉપરના ત્રીજા સ્થિતિબંધ સ્થાનનો જઘન્ય રસ અનંતગુણ અને તે થકી શરૂઆતના ચોથા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ ઉપરના એક એક સ્થિતિબંધ સ્થાનનો જઘન્ય અને નીચેના એક એક સ્થિતિબંધ સ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ-અનંતગુણ હોવાથી સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનના દ્વિચરમ કંડકના છેલ્લા સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી અંતિમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો એટલે કે સર્વોત્કૃષ્ટ ચરમ સ્થિતિબંધ સ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે થકી ઉપરના ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તેના કરતાં તેના ઉપરના બીજા, ત્રીજા, ચોથા એમ યાવત્ તે જ ઉપરના કંડકના સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનરૂપ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક-એકથી અનંતગુણ છે.
પરાઘાત વગેરે અપરાવર્તમાન શુભ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી જઘન્ય સ્થિતિબંધ સુધી મતિજ્ઞાનાવરણીય વગેરેની જેમ તીવ્ર-મંદતા હોય છે. તે આ પ્રમાણે–સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. તેનાથી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે. એમ શરૂઆતના કંડકના ચરમ સ્થિતિબંધ સ્થાન સુધી પૂર્વ-પૂર્વના સ્થિતિસ્થાનથી પછી પછીના નીચેના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનુક્રમે અનંતગુણ હોય છે.
પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તે જ કંડકના પ્રથમ સ્થિતિસ્થાન રૂપ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી કંડકની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય અને તે થકી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ, તે થકી કંડકથી નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય અને તેના કરતાં બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ જ્યાં સુધી પોતપોતાની અનુકૃષ્ટિ સંભવે છે, ત્યાં સુધીના જઘન્ય સ્થિતિસ્થાન સુધી નીચેના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપરના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોવાથી જઘન્ય સ્થિતિના દ્વિચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી જઘન્ય સ્થિતિસ્થાન રૂપ ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તેનાથી ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંત ગુણ હોય છે. તેનાથી તે જ કંડકના બીજા, ત્રીજા, ચોથા યાવત્ જઘન્ય સ્થિતિરૂપ ચરમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે.
અનુકૃષ્ટિમાં બતાવ્યા પ્રમાણે જેટલાં સ્થિતિસ્થાનોમાં તે સર્વે અને અન્ય અધ્યવસાયો હોય છે તેટલાં સ્થિતિસ્થાનોને આક્રાંત સ્થિતિસ્થાનો કહેવાય છે, અથવા તેટલાં સ્થિતિસ્થાનોમાં અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય રસ બંધ થતો હોવાથી જઘન્ય અનુભાગના વિષયવાળાં સ્થિતિસ્થાનો કહેવાય છે અથવા તો શુભ અને અશુભ-પ્રતિપક્ષ પ્રકૃતિઓના તે બધાં સ્થિતિસ્થાનો પ્રત્યેક અંતર્મુહૂર્ત પરાવર્તમાન મધ્યમ પરિણામે વારંવાર બંધાતાં હોવાથી પરાવર્તમાન સ્થિતિસ્થાનો પણ