Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૮
પંચસંગ્રહ-૨
હીન કાળવાળા હોવાથી પાતળો આકાર થાય છે. તેથી જ આઠ સમયવાળા અધ્યવસાયોને યવમધ્ય કહેવાય છે.
નીચેના સાત સમયના કાળવાળા છેલ્લા અધ્યવસાયની અપેક્ષાએ આઠ સમયના કાળવાળા અધ્યવસાયોમાંનો પ્રથમ અધ્યવસાય અનંતગુણ વૃદ્ધ હોય છે. તેથી તેની પછીના આઠ સમયવાળા બધા અધ્યવસાય સ્થાનો અનંતગુણ વૃદ્ધ હોય છે અને ઉપરના સાત સમયના કાળવાળા અધ્યવસાયોમાંના પહેલા અધ્યવસાયથી આઠ સમયના કાળવાળા અધ્યવસાયોમાંનો છેલ્લો અધ્યવસાય અનંતગુણહીન હોય છે. તેથી જ તેના પહેલાના આઠ સમય કાળવાળા બધા અધ્યવસાયો અનંતગુણ હીન હોય છે. માટે જ આઠ સમયવાળા અધ્યવસાયો અનંતગુણ વૃદ્ધિ, અને હાનિ એમ બન્નેમાં પ્રાપ્ત થાય છે.
એ જ પ્રમાણે શરૂઆતના ચાર સમય કાળવાળા અને છેલ્લા બે સમયના કાળવાળા અધ્યવસાયો છોડી શેષ પાંચથી ત્રણ સમય સુધીના કાળવાળા દરેક અધ્યવસાયો અનંતગુણ વૃદ્ધિ અને હાનિ એમ બન્નેમાં પ્રાપ્ત થાય છે. પરંતુ શરૂઆતના ચાર સમયવાળા અધ્યવસાયો કેવળ અનંતગુણ હાનિમાં અને ઉપરના બે સમયવાળા અધ્યવસાયો ફક્ત અનંતગુણ વૃદ્ધિમાં જે પ્રાપ્ત થાય છે. અહીં શરૂઆતના ચારથી છેલ્લા બે સમય સુધીના કાળવાળા દરેક અધ્યવસાયો સામાન્યથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ કહ્યા છે. પરંતુ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી આઠ સમયવાળા સૌથી થોડા છે. તે થકી તેની બન્ને બાજુ સાત, છ, પાંચ અને ચાર સમયના કાળવાળા અધ્યવસાયો અનુક્રમે એક-એકથી અસંખ્યાત ગુણ અને બન્ને બાજુના પરસ્પર તુલ્ય હોય છે. તે થકી ઉપરના ત્રણ અને બે સમયવાળા પણ અનુક્રમે અસંખ્યાતગુણા છે.
એક સમયે સૂક્ષ્મ અગ્નિકાયમાં ઉત્પન્ન થતા જીવો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. તે થકી સૂક્ષ્મ અગ્નિકાયરૂપે રહેલ સર્વ જીવો, તેથી તેઓની સ્વકાયસ્થિતિ અને તેના કરતાં રસબંધનાં સ્થાનો (અથવા સર્વ રસબંધના અધ્યવસાયો) ક્રમશઃ એક એકથી અસંખ્યાત ગુણ છે. (૧૩) ઓજોયુ...
ઓજ એટલે એક, ત્રણ, પાંચ વગેરે એકી સંખ્યા અને યુગ્મ એટલે બે, ચાર, છ વગેરે બેકી સંખ્યા અને તેના કુલ કલ્યોજ, દ્વાપરયુગ્મ, ત્રેતૌજ અને કૃતયુમ એમ ચાર પ્રકાર છે.
કોઈ પણ અમુક રાશિને ચારે ભાગવાથી એક શેષ રહે તે કલ્યોજ જેમ તેર, ચારે ભાગવાથી બે શેષ રહે તે દ્વાપર યુગ્મ-જેમ ચૌદ, ચારે ભાગવાથી ત્રણ શેષ રહે તે ત્રેતૌજ, જેમ પંદર અને ચારે ભાગવાથી કાંઈ પણ બાકી ન રહે તે કૃતયુગ્મ. જેમ બાર અથવા સોળ.
અહીં રસના વિચારમાં રસાવિભાગો, વર્ગણાઓ, સ્પદ્ધકો, રસસ્થાનો, કંડકો અને ષસ્થાનોની સંખ્યા કૃતયુગ્મ સંજ્ઞાવાળી છે. અર્થાત્ અવિભાગાદિ દરેકને ચારે ભાગીએ તો કાંઈ પણ શેષ રહેતું નથી. (૧૪) પર્યવસાન
અનંતગુણ વૃદ્ધિવાળા કંડકનું છેલ્લું સ્થાન એ પર્યવસાન અર્થાત્ ષસ્થાનનો છેડો છે.