Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ સારસંગ્રહ
૧૮૧ વધારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે તે બધાં અશુભ પ્રવૃતિઓનાં શુદ્ધ સ્થિતિસ્થાનો હોય છે. વળી અશુભ પ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પ્રાયઃ શુભ પ્રવૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ઘણો ઓછો હોય છે, તેથી અશુભ પ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી શુભ પ્રકૃતિઓનાં નીચેનાં સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે.
પ્રતિપક્ષ બન્ને પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન હોવા છતાં અમુક મર્યાદા સુધીની બન્ને પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરનારા જીવો એક ન હોય પણ ભિન્ન સ્વરૂપવાળા હોય તો તે અર્થાત્ સ્થિતિસ્થાનો આક્રાંત નથી પણ હોતાં પણ શુદ્ધ હોય છે. જેમ નરકદ્ધિક અને તિર્યંચદ્વિકની વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન હોવા છતાં સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમથી વિસ કોડાકોડી સાગરોપમ સુધીની નરકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્ય-તિર્યંચો અને તિર્યંચદ્વિકની દેવો તથા નારકો જ બાંધે છે. એ જ પ્રમાણે સમયાધિક અઢાર કોડાકોડી સાગરોપમથી વીસ કોડાકોડી સાગરોપમ સુધીની સ્થાવર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત ઈશાન સુધીના દેવો અને ત્રસ નામકર્મની ઈશાન સુધીના દેવો વર્જી શેષ ચાર ગતિના જીવો બાંધે છે, માટે તે પણ સઘળાં સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે.
- સાતવેદનીય વગેરે શુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસબંધના જે અધ્યવસાયો છે, તે સર્વે અને તેથી પણ તીવ્ર શક્તિવાળા થોડા નવા અધ્યવસાયો સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે અધ્યવસાયો હોય છે તે સર્વે અને તેથી પણ તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે અધ્યવસાયો બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે અધ્યવસાયો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે અધ્યવસાયો ત્રિસમોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. એ પ્રમાણે અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની સમાન સતાવેદનીયનો જઘન્ય સ્થિતિબંધ આવે ત્યાં સુધી ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં જેટલા જેટલા અધ્યવસાયો હોય છે તે સર્વે અને તેનાથી વધારે તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે વધારે અધ્યવસાયો હોય છે.
- અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની સમાન સાતવેદનીયના જઘન્ય સ્થિતિબંધમાં જે રસબંધના અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના એક સંખ્યાતમા ભાગ જેટલા છોડી શેષ સર્વે અને છોડ્યા તેથી વધારે નવા અધ્યવસાયો સાતાના સમયોન જઘન્ય સ્થિતિબંધમાં હોય છે. સમયોન જઘન્ય સ્થિતિબંધમાં જે અધ્યવસાયો છે, તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગ જેટલા છોડી શેષ સર્વે અને છોડ્યા તેથી થોડા વધારે નવા સાતાના બે સમયોન જઘન્ય સ્થિતિબંધમાં હોય છે.
એમ અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સમાન સાતાના જઘન્ય સ્થિતિબંધ સ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. સમયોન જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડક પછીના નીચેના સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. એમ સાતાના જઘન્ય સ્થિતિબંધના છેલ્લા કંડકના પહેલા સ્થિતિસ્થાનની અનુકૃષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂપ જઘન્ય સ્થિતિબંધમાં પૂર્ણ થાય છે. શેષ સર્વે પરાવર્તમાન શુભ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ પણ આ જ પ્રમાણે હોય છે.