Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
હવે યવમધ્યપ્રરૂપણા કરે છે–આઠ સમય કાળમાનવાળાં સ્થાનો યવમધ્ય કહેવાય છે. જેમ યવનો મધ્યભાગ જાડો હોય છે અને બંને બાજુ અનુક્રમે પાતળો પાતળો થતો જાય છે તેમ આઠ સમય કાળમાનવાળાં સ્થાનો કાળને આશ્રયી જાડા એટલે વધારે કાળમાનવાળાં છે અને તેની બંને બાજુનાં ઓછાં ઓછાં કાળમાનવાળાં સ્થાનો રહેલાં છે તેથી આઠ સમય કાળમાનવાળાં સ્થાનો યવમધ્ય કહેવાય છે. આ આઠ સમયકાળવાળાં રસબંધનાં સ્થાનકો કોઈ રસસ્થાનકની અપેક્ષાએ અનંતગુણવૃદ્ધ છે, કોઈ રસસ્થાનકની અપેક્ષાએ અનંતગુણહીન છે.
તે આ પ્રમાણે–પૂર્વના સાત સમયકાળમાનવાળા રસસ્થાનમાંના છેલ્લા રસસ્થાનથી આઠ સમયકાળવાળા રસસ્થાનનું પહેલું રસસ્થાન અનન્તગુણવૃદ્ધ સ્પર્ધ્વકવાળું હોય છે. જ્યારે પહેલું જ અનંતગુણવૃદ્ધ છે ત્યારે શેષ સઘળા તેની અપેક્ષાએ અનંતગુણવૃદ્ધ જ હોય છે. તથા આઠ સમયકાળમાનવાળામાંના છેલ્લા રસબંધ સ્થાનકથી તેની ઉપરનું-પછીનું સાત સમયકાળમાનવાળામાંનું પહેલું સ્થાનક અનંતગુણવૃદ્ધ સ્પર્ધ્વકવાળું છે. તેની અપેક્ષાએ તેની પહેલાના આઠ સમયકાળમાનવાળાં સઘળાં રસબંધસ્થાનો અનંતગુણહીન સ્પર્ધ્વકવાળાં છે.
આવી રીતે શેષ સાત, છ સમયાદિ કાળમાનવાળાસ્થાનો પૂર્વના અને પછીના રસસ્થાનની અપેક્ષાએ અનંતગુણવૃદ્ધ અને અનંતગુણહીન પદ્ધકવાળા હોય છે. માત્ર શરૂઆતનાં ચાર સમયકાળવાળાસ્થાનો પાંચ સમયકાળવાળાની અપેક્ષાએ અનંતગુણહીન જ હોય છે, અનંતગુણવૃદ્ધ નહિ. કારણ કે શરૂઆત જ ત્યાંથી થાય છે તેની પહેલાં કોઈ રસસ્થાન નથી કે જેની અપેક્ષાએ અનન્તગુણવૃદ્ધ હોય. તથા છેલ્લા બે સમયકાળમાનવાળાં સઘળાં સ્થાનો તેની પહેલાનાં ત્રણ સમયકાળમાનવાળાં સ્થાનોની અપેક્ષાએ અનંતગુણવૃદ્ધ જ હોય છે, અનંતગુણહીન હોતાં નથી, કારણ કે તે જ છેલ્લાં છે, તેની પછી કોઈ સ્થાનો નથી કે જેની અપેક્ષાએ અનન્તગુણહીન હોય.
આ હકીકત યવમધ્ય કરવા વડે સમજાય છે. કારણ કે યવમધ્ય-આઠ સમયકાળમાનવાળાં સ્થાનોની પહેલાના ચાર સમયકાળવાળાથી માંડી યવમધ્યપર્યત અનુક્રમે વધારે વધારે સ્થિતિવાળાં છે અને તે પછી બે સમયકાળવાળા સ્થાનપર્યત ક્રમે હીન હીન સ્થિતિવાળા છે. આ પ્રમાણે સમયપ્રરૂપણા કરી.
હવે ચાર સમયાદિ કાળવાળાં સ્થાનોનું અલ્પબદુત્વ કહે છે આઠ સમયકાળવાળાં સ્થાનો સૌથી અલ્પ છે. કારણ કે બહુ કાળપર્યત બંધ યોગ્ય સ્થાનો તથાસ્વભાવે અલ્પ જ છે, અને અલ્પ અલ્પ કાળવાળા અનુક્રમે વધારે વધારે છે. યવમધ્યસ્થાનોથી તેની બંને બાજુ રહેલાં સાત સમયકાળવાળાં સ્થાનો અસંખ્યાતગુણ છે, માંહોમાંહે તુલ્ય છે. તે કરતાં તેની બંને બાજુ રહેલાં છ સમયકાળવાળાં સ્થાનો અસંખ્યગુણ છે, સ્વસ્થાને બંને પરસ્પર તુલ્ય છે. તે કરતાં તેની બંને બાજુનાં પાંચ સમયકાળવાળાં સ્થાનો અસંખ્યગુણ છે, સ્વસ્થાને પરસ્પર તુલ્ય છે. તે કરતાં તેની બંને બાજુનાં ચાર સમયકાળવાળાં અસંખ્યગુણ છે, સ્વસ્થાને બંને પરસ્પર સરખાં છે. તે કરતાં ત્રણ સમયકાળવાળાં અસંખ્યગુણ છે અને તેનાથી બે સમય કાળવાળાં અસંખ્યગુણ છે. આ પ્રમાણે અલ્પબદુત્વ કહ્યું. પ૬.