Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
૭૯
ગુણવૃદ્ધ સ્થાનો પૂર્વોક્ત રીતિએ અસંખ્ય ગુણવૃદ્ધના કંડકને કંડકે ગુણી એક કંડક ઉમેરવાથી જેટલાં થાય તેટલાં હોવાથી અસંખ્યાતગુણ છે.
પહેલી વારના અસંખ્ય ગુણવૃદ્ધસ્થાન પહેલાંના કંડક પ્રમાણ સંખ્યયગુણવૃદ્ધ સ્થાનોથી સંખ્યયભાગવૃદ્ધસ્થાનો સંખ્યયગુણવૃદ્ધસ્થાનના કંડકને કંડકે ગુણી એક કંડક ઉમેરવાથી જેટલાં થાય તેટલાં હોવાથી અસંખ્યાતગુણ છે. એ જ પ્રમાણે કંડક પ્રમાણ સંખ્યયભાગવૃદ્ધસ્થાનોથી અસંખ્ય ભાગ વૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણ છે. તથા કંડક પ્રમાણ અસંખ્યયભાગવૃદ્ધસ્થાનોથી અનન્તભાગવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણ છે. કંડક અને કંડકવર્ગ જેટલાં છે માટે. સર્વત્ર ભાવના પહેલાં કરી તે પ્રમાણે કરવી. આ રીતે અનન્તરોપનિયા વડે અલ્પબદુત્વનો વિચાર કર્યો. ૧૯ હવે પરંપરોપનિધા વડે વિચાર કરે છે–
होंति परंपरवुड्डीए थोवगाणंतभागवुड्डा जे । • अस्संखसंखगुणिया एकं दो दो असंखगुणा ॥६०॥
भवन्ति परम्परावृद्धौ स्तोकान्यनन्तभागवृद्धानि यानि ।
असंख्येयसंख्येयगुणितानि एकं द्वे द्वे असंख्येगुणानि ॥६०॥ અર્થ–પરંપરવૃદ્ધિમાં અનન્તભાગવૃદ્ધસ્થાનો અલ્પ છે, તેથી તે પછીની અસંખ્યભાગવૃદ્ધરૂપ એક સ્થાન અસંખ્યાતગુણ છે, તે કરતાં તે પછીનાં બે સ્થાન ઉત્તરોત્તર સંખ્યાતગુણ છે, તેનાથી તેની પછીનાં બે સ્થાન ઉત્તરોત્તર અસંખ્યાતગુણ છે.
ટીકાનુ–પરંપરવૃદ્ધિનો વિચાર કરતાં જે અનન્તભાગવૃદ્ધ સ્થાનો છે તે સર્વથી અલ્પ છે. ત્યારપછીનું અસંખ્યભાગવૃદ્ધરૂપ એક સ્થાન અસંખ્યયગુણ છે એટલે કે અનન્તભાગવૃદ્ધસ્થાનોથી અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણ છે. તે કરતાં ત્યારપછીના બે સંખ્યયભાગવૃદ્ધ અને સંખ્યયભાગવૃદ્ધસ્થાનો પૂર્વ પૂર્વ કરતાં સંખ્યાતગુણ છે. તે કરતાં પણ તે - પછીનાં બે વૃદ્ધિસ્થાનો–અસંખ્ય ગુણવૃદ્ધ અને અનન્તગુણવૃદ્ધ સ્થાનો અસંખ્યાતગુણ છે.
- તાત્પર્ય આ પ્રમાણે છે–અનન્તભાગવૃદ્ધસ્થાનો અલ્પ છે, કારણ કે પહેલા અનન્તભાગવૃદ્ધસ્થાનથી આરંભી એક કંડક જેટલાં જ તે સ્થાનો થાય છે, વધારે થતાં નથી. તેનાથી અસંખ્યાતભાગવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણ છે. અસંખ્યાતભાગવૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણ શી રીતે થાય ? તે કહે છે અનન્તભાગાધિક કંડકના છેલ્લા સ્થાનથી તેની પછીનું સ્થાન અસંખ્યાતભાગાધિક છે. હવે જો અનન્તભાગવૃદ્ધ કંડકની ઉપરનું પહેલું અસંખ્યયભાગવૃદ્ધસ્થાન અનન્તભાગવૃદ્ધ કંડકના છેલ્લા સ્થાનની અપેક્ષાએ અસંખ્યયભાગ અધિક છે તો તે પછી થતાં અનન્તભાગાધિક સ્થાનો પણ તે છેલ્લા સ્થાનની અપેક્ષાએ અસંખ્યયભાગાધિક જ છે. કારણ કે જે અનન્તભાગાધિક સ્થાન છે તે તો પહેલા અસંખ્યયભાગાધિક સ્થાનની અપેક્ષાએ છે. અનન્તભાગવૃદ્ધ કંડકના છેલ્લા સ્થાનની અપેક્ષાએ નહિ. તેની અપેક્ષાએ તો અસંખ્ય ભાગવૃદ્ધ
સ્થાન અને તેની પછી થનારાં સઘળાં સ્થાનો અસંખ્યયભાગ અધિક જ હોય છે. હવે જયારે , અસંખ્યયભાગવૃદ્ધ સ્થાનની પછીનું અનન્તભાગવૃદ્ધ સ્થાન અનન્તભાગવૃદ્ધ કંડકના છેલ્લા