Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
૭૧
કંડકવર્ગ અને કંડકપ્રમાણ થાય છે.
કંડકઘન, બે કંડકવર્ગ અને એક કંડક શી રીતે થાય છે? તે કહે છે–પહેલા સંખ્યયભાગવૃદ્ધસ્થાનની નીચે અનંતભાગવૃદ્ધિનાં સ્થાનો કંડકવર્ગ અને કંડક થાય છે તે પહેલાં કહેવાયું છે. સંખ્યયભાગવૃદ્ધસ્થાનો અનંતભાગવૃદ્ધ અને અસંખ્યભાગવૃદ્ધથી અંતરિત એક કંડક પ્રમાણ થાય છે. તેથી કંડકવર્ગને અને કંડકને એક કંડક વડે ગુણીએ એટલે કંડકઘન અને કંડકવર્ગ થાય અને સંખ્યયભાગવૃદ્ધના છેલ્લા સ્થાનની પછી કંડકવર્ગ અને કંડકપ્રમાણ અનંતભાગવૃદ્ધસ્થાનો થાય છે એટલે તે મેળવતાં કુલ અનંતભાગવૃદ્ધસ્થાનો કંડકઘન, બે કંડકવર્ગ અને કંડકપ્રમાણ થાય છે.
દાખલા તરીકે–પહેલા સંખ્યયભાગવૃદ્ધસ્થાનની નીચે વીસ વાર અનંતભાગવૃદ્ધસ્થાનો કહેવાઈ ગયાં છે તે વીસ થાય, પહેલા અને બીજા સંખ્યભાગવૃદ્ધની વચમાં પણ વીસ, બીજા અને ત્રીજાની વચમાં વસ, ત્રીજા અને ચોથાની વચમાં વીસ અને ત્યારપછી વીસ. સરવાળે સો વાર અનંતભાગવૃદ્ધસ્થાનો પહેલી વારના સંખ્યયગુણવૃદ્ધસ્થાનની પહેલાં થાય. ચારનો ઘન, ચોસઠ, ચારનો વર્ગ સોળ, એટલે સોનાં એક ઘન બે કંડકવર્ગ અને એક કંડક થાય. અહીં કંડકને ચાર કપ્યા છે. આ જ પ્રમાણે અસંખ્યયગુણવૃદ્ધની પહેલાં અસંખ્યભાગવૃદ્ધનાં અને અનંતગુણવૃદ્ધની પહેલાં સંખ્યાતભાગવૃદ્ધનાં સ્થાનકોનો વિચાર કરી લેવો. પર તે જ હકીકત કહે છે –
૬ ડમ્સ ઘણો વયો હુમુખો સુમંતરાણ ૩ __ कण्डकं कण्डकस्य घनः वर्गो द्विगुणो द्विकान्तरायां तु ।
અર્થ–બયંતરિતસ્થાનમાં અનંતભાગવૃદ્ધનાં કંડક, કંડકઘન અને બે કંડકવર્ગ પ્રમાણ સ્થાનો થાય છે.
ટીકાનુ–પહેલા સંખ્યયગુણવૃદ્ધસ્થાનની પહેલાં સંખ્યયભાગવૃદ્ધનાં અને અસંખ્યયભાગવૃદ્ધનાં સ્થાનો છોડી અનંતભાગવૃદ્ધસ્થાનકની સંખ્યાનો વિચાર કર્યો છે માટે તે યંતરિત કહેવાય છે. તે સ્થાનો કંડકઘન, બે કંડકવર્ગ અને એક કંડકપ્રમાણ થાય છે. આ પ્રમાણે યંતરિત માર્ગણા કહી.
હવે ત્રિઅંતરિત માર્ગણા કહે છે–પહેલા અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનની નીચે અનંતભાગવૃદ્ધનાં કંડકવર્ગ વર્ગ, ત્રણ કંડકઘન, ત્રણ કંડકવર્ગ અને એક કંડકપ્રમાણ સ્થાનો થાય છે. પહેલી વારના અનંતગુણવૃદ્ધસ્થાનની નીચે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનકો કંડકવર્ગ વર્ગ, ત્રણ કંડકઘન, ત્રણ કંડકવર્ગ અને એક કંડકપ્રમાણ થાય છે.
કઈ રીતે આ સંખ્યા થાય છે તે કહે છે–પહેલા સંખ્યયગુણવૃદ્ધસ્થાનની નીચે અનંતભાગવૃદ્ધસ્થાનો કંડકઘન, બે કંડકવર્ગ અને એક કંડકપ્રમાણ થાય છે તે પહેલાં કહેવાઈ ગયું છે. સંખ્યયગુણવૃદ્ધસ્થાનો એક કંડક જેટલાં થાય છે તેથી ઉપરની સંખ્યાને કંડકે ગુણતાં કંડકવર્ગ વર્ગ વગેરે સંખ્યા આવે, તે આ પ્રમાણે—કંડકઘનને કંડકે ગુણતાં કંડકવર્ગ વર્ગ થાય, કેમકે