________________
ઈતિહાસ ]
શ્રી શત્રુંજય શ્રી પરમદેવસૂરિના તેઓ પરમ ભક્ત હતા અને સૂરિજી મહારાજના ઉપદેશથી જ આ ધર્મકાર્યો કર્યા હતાં.
જગડુશાહ પછી ધર્મવીર સાધુપુરુષ પેથડશાહને સમય આવે છે. માંડવગઢના આ દાનવીર પુરુષે આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી અનેક ધાર્મિક કાર્યો કયો છે. સં. ૧૩૨૦ લગભગ શ્રી ધર્મઘોષસૂરિજીની અધ્યક્ષતા નીચે સિદ્ધાચલઇને મહાન્ સંઘ કાઢ, સિધ્ધગિરિ ઉપર સિધ્ધકટાકેટી'ના નામે ઓળખાતું શ્રી શાન્તિનાથજીનું બહેતર દંડ કલશયુકત ભવ્ય જિનાલય બંધાવ્યું તેમજ તેમની સાથે આવેલા ધનાઢય ગૃહસ્થાએ પણ ત્યાં મદિર બંધાવ્યાં. સંઘ સહિત આવતાં રસ્તામાં ધોળકામાં ભવ્ય મંદિર બંધાવ્યું, તેમજ ગિરનારજી, જુનાગઢ, વંથળી, પ્રભાસપાટણ આદિ સ્થલેએ પણ તેમણે મદિર બંધાવ્યાં છે.'
આ ઉપરાંત મારવાડમાંથી આભૂમંત્રીને સંઘ, તથા ખંભાતથી નાગરાજ સેનીને સંઘ મોટા આડંબરથી સિધ્ધાચલજીની યાત્રાએ આવેલ છે અને તેમણે લાખ રૂપિયા ખર્ચી ભવ્ય જિનમંદિર બંધાવેલ છે.
૧. પેથડશાહઃ તેઓ માંડવગઢના મંત્રી હતા. તેમણે તપગચ્છના મહાપ્રતાપી આચાર્યશ્રી દેવેંદ્રસૂરીશ્વરજીના શિષ્યશ્રી ધમ ધસૂરીશ્વરજીના ઉપદેશથી ૮૪ ભવ્ય જિનાલો બંધાવ્યા જેમાંનાં ઘણા જિનમદિરાના સ્થાનેનાં નામ શ્રી મુનિસુદરસૂરીશ્વરવિરચિત ગવલી પૃ. ૧૯ અને ૨૦માં આપેલા છે. તેમજ તેમણે સાત જ્ઞાનમંદિરો કરાવ્યાં છે. મહોપાધ્યાયશ્રી ધર્મસાગરજી તપાગચ૭૫ટ્ટાવલીમાં લખે છે કે"श्रीशनंजये च एकविशतिघटीप्रमाणसुर्वणव्ययेन रैमयः श्री ऋषभदेवप्रासादः कारितः ॥ केचिच्च तत्र षट्पंचाशतसुवर्णघटीव्ययेनेंद्रमालाया(ला यो) परिहितवानिति वदति ॥"
(પદાવલી સમુચ્ચય, પૃ. ૬૦) બત્રીશ વર્ષની નાની ઉમ્મરે મંત્રીશ્વરે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું હતું. તેમના પુત્ર ઝાંઝણકુમારે શત્રુંજય અને ગિરનારજી ઉપર સુવર્ણ અને ચાંદીના દવજ ચઢાવ્યા હતા. (પટ્ટાવલી સમુચ્ચય, પૃ. ૬૦).
મંત્રીશ્વર પેથડે માંડવગઢમાં શ્રી ધર્મસૂરિજી મહારાજના પ્રવેશોત્સવમાં તિર હજાર (૩૬ ને ઉલ્લેખ પણ છે) જીર્ણટક ખર્યા હતા. આ સિવાય અનેક દાનશાલાઓ, વાવ, કૂવા, પરબ, જ્ઞાનમંદિરે કરાવ્યાં હતાં. જુઓ સુકૃતસંકીર્તન.
પેથડશાહના આવાં અનેક ધાર્મિક કૃત્યો જોઈ શ્રી જિનપ્રભસૂરિજીએ વસ્તુપાલની સાથે પેથડને સંભારીને કહ્યું કે તેમણે બનાવેલાં ધર્મકૃત્યોની પ્રશંસા કરવા કોઈ સમર્થ નથી, અર્થાત તેમણે ઘણાં ધર્મસ્થાન બનાવી જિનશાસનની અપૂર્વ શોભા વધારી છે.
શ્રી ધર્મપરિજી જૈનશાસનના મહાપ્રભાવિક આચાર્ય થયા છે. તેઓ તપગચ્છમાં જમા પટ્ટધર છે. વિશેષ માટે જુઓ ગુર્નાવલી, પટ્ટાવલી સમુચ્ચય વગેરે છે.