________________
ઈતિહાસ ] : ૪૧૫ ઃ
કુલપાકજી કર્ણાટક દેશમાં જેન ધર્મનું સામ્રાજ્ય હતું. રાજાએ એક બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યું હતું. રાજાએ સ્ત્રીના આગ્રહથી પિતાના સાળા બસને (વાસવને ) પતાને મંત્રી નીમ્યા. આ સાળા મત્રીએ રાજાને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત કરી, રાજાને મારી નાંખી પિતાની બહેનને વિધવા બનાવી અને પિતે રાજા બની બેઠે. પછી તેણે લીગાયત ધર્મની સ્થાપના કરી તેને રાજધર્મ બનાવ્યો. અને જૈન ધમને બને એટલી હાનિ પહોંચાડી કેટલાંયે જૈન મંદિરમાં શિવલિંગ પધરાવ્યાં. કુલ્પાકછમાં આજે પણ એ નિશાનીઓ મળે છે. તેમ કલ્યાણી નગરી કે જે અત્યારે પૂર્ણ નિઝામ સ્ટેટના જાગીરદારની રાજધાની છે ત્યાંથી પણ ઘણીવાર જૈન મૂતિઓ વગેરે નીકળે છે.
કુલ્પાકજી પણ પ્રાચીન કાળમાં મોટું શહેર હશે. ત્યાં અનેક જિનમદિર હતાં. ત્યાં આજે પણ ખેદતાં કેઈ કોઈ સ્થાનેથી જિનમ દિરના મેટા મજબૂત પથ્થરના સ્થભે, દરવાજાના બારણા ઉપર મૂકવાની મેટી મોટી શિલાઓ, જિનમતિનાં આસને-ગાદી અને બીજા લક્ષણોથી યુક્ત પથ્થરો, વા, કૂવા અને નાની
ટી જિનમતિઓ તેમજ બીજા જેન દેવદેવીઓની આકૃતિ તથા જૈનાચાર્યોની મૂર્તિઓ મળી આવે છે. બધા કરતાં નાની નાની વા ઘણી હાથ આવે છે. હમણાં જ કટીની શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ તથા એક જૈનાચાર્યની મૂર્તિ મળી આવી હતી, તેને લેખ કનડી ભાષામાં છે.
કુલ્યાકનું અત્યારનું જિનમંદિર નાનું, નાજુક અને દેવભૂવન જેવું છે, તેની બાંધણી ઘણું પ્રાચીન અને મજબૂત છે. પ્રાચીન મંદિર મૂલ સ્થાને જ કાયમ રાખી, આજુબાજુ સુધારા-વધારો કરી પ્રાચીન ખેદકામમાંથી મળી આવેલી મૂતિઓ બિરાજમાન કરી છે. છેલ્લે જીર્ણોદ્ધાર હૈદ્રાબાદના શ્વેતાંબર શ્રી સ થે કરાવેલ છે. બહારથી પણ સારી મદદ મળેલી છે. એક લાખ એ શી હજાર રૂ ખર્ચ થયો છે અને હજી કામ ચાલુ જ છે. આ જીર્ણોધ્ધાર વિદ્યાસાગર ન્યાયારતી શ્રી શાન્તિવિજયજીના ભગીરથ પ્રયત્નથી પુનમચંદજી છઠ્ઠાણીએ વેતાંબર સઘ તરફથી કરાવે છે.
આ પુનિત તીર્થને જિનપ્રભસૂરિજી દક્ષિણનો કાશી તરીકે ઓળખાવે છે. અહીંનો નદીને અજેને ગગા તરીકે ઓળખે છે. શ્રાદ્ધાદિ પણ તે નદીમાં કરે છે.
મૂળનાયક શ્રી માણેકસ્વામીનું માહાત્મ અદભૂત છે. જેમ શ્રી કેશરીઆઇને ત્યાની અને પ્રજા કાળા બાબા તરીકે પૂજે છે તેમ અહીંની કનડી, તેલુગી પ્રજા, હિન્દુ અને મુસલમાન બધાય ભક્તિથી આ માણેકસ્વામિને નમે છે, પ્રભુના દર્શન કરી ભડારમાં પૈસા નાખે છે. શિવરાત્રિને અજેનેને માટે મેળો ભરાય છે ત્યારે પણ અજેન અહીં પણ આવે છે. ચૈત્રી પૂણિમા ઉપર જેનેને મોટો મેળો ભરાય છે ત્યારે પણ અજેનો સારી સંખ્યામાં આવે છે. અને દર્શન કરી પુનિત થાય છે. અહીંના જાગીરદાર કે જેઓ મુસલમાન છે, તેઓ અમુક વર્ષો સુધી સે રૂપિયા