________________
ઈતિહાસ ]
સમેતશિખરજી. શાશ્વતજિનની ૪ દેરીઓ; ગૌતમાદિ ગણુધરેની ૧ દેરી, શુભ ગણધરની ૧ કેરી, અને એક જલમંદિર છે. જલમંદિરની પાસે જ શ્વેતાંબર ધર્મશાલા, તાંબર કાઠીના નાકર, પૂજારીઓ આદિને રહેવાની એક બીજી સ્વતંત્ર ઘમશાળા છે. અને પાસે જ એક મીઠા પાણીને સુંદર ઝરે છે. આખા પહાડમાં ઉપરના ભાગમાં અહીં જ બારે માસ પાણી રહે છે. . જેન યાત્રિકને પૂજા અર્થમાં નહાવા વગેરેની સગવડ અહીં સુંદર રીતે મળે છે. ધર્મશાળામાં બેસી બાળકે વગેરે જલપાન, નાતે વગેરે કરે છે. * ઉપર બધે પ્રદક્ષિણા કરનારા શ્રી ગૌતમસ્વામીની દેરીથી જ તેની શરૂઆત કરે છે. અનુક્રમે શ્રી કુંથુનાથજી, શ્રી રામ પ્રભુજી, શ્રી ચંદ્રાનન પ્રભુજી, શ્રી નેમિનાથ પ્રભુજી, શ્રી અરનાથ પ્રભુજી, શ્રી મહિલનાથ પ્રભુજી, શ્રી શ્રેયાંસનાથ પ્રભુજી, શ્રી સુવિધિનાથ પ્રભુજી, શ્રીપદ્મ પ્રભુજી, શ્રી મુનિસુવ્રતસ્વામિ, શ્રી ચંદ્ર પ્રભુજી (બધાયથી ઘર અને કઠિણ માગ આ દેરીએ જવાને છે ), શ્રી ઋષભદેવજી, શ્રી અનંતનાથ પ્રભુજી, શ્રી શીતલનાથ પ્રભુજી, શ્રી સંભવનાથ પ્રભુજી, શ્રી વાસુપૂજ્ય પ્રભુજી, શ્રી અભિનંદન સ્વામિ અને ત્યાંથી વાસુપૂજ્ય પ્રભુજીની દેરી પાસે થઈ જલમંદિર જવું.
જલમંદિર આખા પહાડ ઉપર અહીંના મંદિરમાં જ મતિઓ છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારિક મૂર્તિ છે. મંદિર બહુ જ સુંદર અને રળીયામણું છે. હમણાં સુદર રંગોથી વિવિધ પ્રકારનું ચિત્રલેખન ઝરીયાના ધમનિષ્ઠ શેઠ કાલીદાસ જશરાજ તરફથી કરાવવામાં આવેલ છે. બીજી મૂર્તિઓ પણ સુંદર અને પ્રભાવશાળી છે. મંદિરને ફરતે કિલો છે, જેથી વ્યવસ્થા સારી રહે છે. આ સ્થાન
દિ. ઝઘડાથી મુક્ત છે. અહીં એકલા વેતાંબર જેને જ દર્શને આવે છે.
જલમંદિરની સામે જ શ્રી શુભ ગણુઘરની દેરી છે. મદિર ની સામેથી જ રરતે નીકળે છે. રાતે વિકટ છે અને દેરી ખંડિત થયેલી હોવાથી ત્યાંથી પાદુકાઓ લઈને જલમંદિરમાં બિરાજમાન કરવામાં આવેલ છે. દેરીના હારની જરૂર છે. પહેલાં પહાડ ઉપર આવવાને સરલ માગ અહીંથી હશે. શુભ ગણધરની રરીથી પુનઃ જલમંદિર આવી ત્યાંથી અનુક્રમે, શ્રી ધર્મનાથ પ્રભુ, થી સુમતિનાથ પ્રભુ, શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી મહાવીર સ્વામી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી વિમલનાથ પ્રભુજી અને શ્રી નેમનાથ પ્રભુજી, સૌથી છેલે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દેરીએ જવું. જલમંદિરથી ૧ માઈલ દૂર મેઘાડંબર ક ઉપર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સુંદર દેરી છે. આને શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની ટુંક પણ કહે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મદિર આખા પહાડમાં ઊંચી ટેકરી ઉપર આવેલ છે. ઉપર મંદિરજીમ જવા માટે ૮૦ પગથિયાં ચડવાં પડે છે. એક તો શિખરજીને