________________
ઈતિહાસ ] ૪ પ૬પ :
પાર્શ્વનાથકલ્પ ચપલ લહરીરૂપ હાથવડે કરીને નગરીની સાથે શ્રેષ્ઠ મદિર યુક્ત નીરની અંદર લવાયા (૩૨) તે વખતે ત્યાં નાગરમણીઓ સાથે રમવાને માટે આવેલા તક્ષત નાગેન્દ્રવર્ડ કરીને પાપને હણનારી આ પ્રભુ પ્રતિમા દેખાઈ (૩૩) તે પછી (નાગે) ઉલ્લાસપૂર્વક અને નાગરમણીઓનાં સુંદર નાટારંભ યુક્ત માટે મહેત્સવપૂર્વક એંશી હજાર વર્ષ સુધી પૂજી (૩૪) તે અવસરે પશ્ચિમ દિશાના અધિપતિ એક વરૂણ દેવે સમુદ્રને જોતાં તક્ષતવડે પૂજાયેલા ત્રિભુવનસવામી શ્રી પાર્શ્વનાથ(પ્રતિમા)ને જોયા (૩૫) આ તે જ જગતના પ્રભુ છે જે પૂર્વે સુરનાથવડે પુજાયા હતા માટે હાલમાં મને પણ સ્વામીના ચરણકમળનું શરણું ગ્યા છે (૩૬) પરિપૂર્ણ ચિંતિત અર્થની (મનવાંછિત) ફુલની પ્રાર્થના કરીને નિરંતર જિનેશ્વરને પૂજવા લાગ્યા. આમ ચાર હજાર વર્ષ થયા તે સમયે (૩૭) આ ભરત ક્ષેત્રમાં લોકેના તિલક સમાન શ્રી વર્ધમાન જિનેશ્વરરૂપી પાણીના પ્રવાહવડે કરીને ભવ્ય જીવરૂપ ધાન્યને સિંચતા હતા (૩૮) કાંતિની કળાવડે કલુષિત કર્યા છે સુરપુરરૂપી કમળો જેણીએ એવી કાતિનગરીમાં શુભ છે સમુદાય જેને એ ધનેશર નામને સાર્થવાહ રહેતા હતા
( ૩ ) તે શેઠીઓ એક વખત વહાણની મુસાફરી કરવા નીકળે અને વહાણને ચલાવનાર નાવિક યુક્ત સિંહલદીપમાં પહોંચ્યા (૪૦ ) ત્યાં કરીયાણુના સમૂહને ગ્રહણ કરીને વેગવડે પાછા આવતાં તેનું વહાણ એકદમ સમુદ્રના મધ્ય ભાગમાં થંભી ગયું ( ૪૧ ) જેટલામાં ઉદાસીન થએલે તે વિચાર કરે છે તેટલામાં શાસનદેવી પદ્માવતી પ્રગટ થઈને બેલી-હે વત્સ! તું બી નહિ, (મારૂં ) વચન સાંભળ (૪૨) હે ભદ્ર! જગતમાં અજ્ઞાન અને અભિમાનનું મદન કરનાર અને વરુણ દેવતાવડે કરાય છે મહિમા જેને એવા પાકિન અહીં સમુદ્રના તળીએ રહેલા છે તેને તુ સ્વાસ્થાનમાં લઈ જા (૪૩) હે દેવી! સમુદ્રના તળીયાથી જિનેશ્વરને ગ્રહણ કરવામાં મારી શક્તિ કયાંથી હોય ? આ પ્રમાણે ધનેશે કહ્યું ત્યારે શાસન દેવી બેલી (૪૪) હે શ્રાવક ! મારી પાછળ આવીને પ્રવેશ કર, અને કાચા સુતરના તાંતણવડે પ્રભુને કાઢ અને વહાણમાં બેસાડીને તારી નગરીમાં સ્વસ્થ થઈને લઈ જા ( ૫ ) હવે ઉત્પન્ન થએલા હર્ષની પ્રકૃષ્ટતાથી વિકસ્વર છે રોમરાય જેન અને મહાસત્વશાળી એવા તેણે (સાર્થવાહે ) ત્રણ લેકના નાથને ગ્રહણ કરવાને માટે ( દેરીના કહ્યા પ્રમાણે )સર્વ કર્યું. ( ૪૬ ) અને ક્ષણવારમાં પિતાના સ્થાનમાં આવ્યા અને સમીપમાં તંબુઓ ઠેકાવીને જ્યાં રહ્યો છે ત્યાં તે મનુષ્ય સન્મુખ આવ્યા (૪૭) સૌભાગ્યવતી નારીઓનાં ધવલમંગલવડે અને ગંધર્વના ગીત ર્વાજિંત્રના શબ્દવડે કરીને દિશાઓને બેરી કરતાં અને દાનને આપતાં નાથને પ્રવેશ કરાવ્યો (૪૮) અને કાંતિ નગરીમાં ચાંદીની જેમ સ્વચ્છ કાતિવાળે પ્રાસાદ કરાવીને ત્રિભુવનનાયકને બિરાજમાન કર્યા અને ભકિતથી હમેશાં પૂજવા લાગ્યા. હવે ધનેશર મૃત્યુ પામ્યો છતાં પણ