________________
: ૪૧૬ :
[ જૈન તીર્થોને વર્ષાસન આપતા હતા. ખુદ નીઝામ સરકારે પણ અહીં આવતી દરેક ચીજ ઉપરની જકાત માફ કરી છે.
અહીં શિલાલેખ પણ વિપુલ સંખ્યામાં વિદ્યમાન છે.
વિક્રમની ચૌદમી સદીથી લઈને અઢારમી સદી સુધીના લેખે વિદ્યમાન છે. ૧૪૮૩માં તપાગચ્છાધિરાજ શ્રી સમસુંદરજીને સમુદાય તેમના શિષ્ય શાંતિ ગણી સાથે પધારે હતા. મોગલસમ્રાટ્ અકબરપ્રતિબંધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસુરીશ્વરશિખ્યાન શ્રી વિજયસેનસૂરિજી અાદિ સં. ૧૯૬૭માં અહીં પધાર્યા હતા. શ્રી વિજયદેવસૂરિજી તથા પ. ભાવવિજયજી ગણિવર આદિ પણ પધાર્યા હતા.
શ્રી કુપાકજી તીર્થને છેલ્લે જીર્ણોદ્ધાર શક સં. ૧૬૩૩ માં થયો હતો જે નીચેને શિલાલેખ જેવાથી ખાત્રી થશે
स्वस्तिश्रीयत्पदामाजमेजुपासन्मुखी सदा तस्मै देवाधिदेवाय श्रीआदिप्रभवे नमः
संवत(१७६७)वर्ष चैत्रशुद्धदशम्यां पुष्पार्कदिन विजयमुहर्त्तश्रीमाणिक्यस्वामिनाम्नः आदीश्वरभगवतो विचरत्नं प्रतिष्ठित-दीहीश्वरवादशाह औरंगजेब, आलमगीर पुत्र बादशाह श्रीवहादूरशाहविजयराज्ये सुवेदार नवाब मुहम्मद युमुफखानबहादूर सहाय्यात् तपागच्छे भट्टारक श्रीविजयप्रभसूरिशिष्य भ०
श्रीविजयरत्नरिवरे सति पंडित श्रीधर्मकुशलगणिशिष्य पंडित केशरकुमलेन - જ્ઞાશા...નિ ગ્રાસારિત શા ૧૩૩ પ્રવર્તમાને ફરિ એવા ll
હૈદ્રાબાદની દાદાવાડી માટે પણ આ જ વિદ્વાન ગણિવરને બાદશાહના સૂબાએ જમીન ભેટ આપ્યાના શિલાલેખ મળે છે.
આ ઉપરથી એમ સૂચન થાય છે કે એક વાર આ પ્રદેશમાં તપાગચ્છીય આચાર્યોનું સામ્રાજ્ય હશે. તેમજ આ પ્રદેશના મંદિરમાં મણિભદ્રની સ્થાપના હિય જ છે આ પણ મારા કાનની પુષ્ટિ કરે છે
આ સિવાય સં. ૧૪૬પ લગભગના ચાર શિલાલેખ છે. ૧૪૮૧ અને ૧૪૮૭ ના પણ શિલાલેખ છે. ૧૪૮૭ના એક શિલાલેખમાં માલધારણીય શ્રી વિદ્યાસાગરસૂરિજીનું નામ છે. ૧૪૮૧ના એક લેખમાં શ્રી રતનસિંહસૂરિજી ખંભાતથી સંધ સહિત આવ્યાનો ઉલ્લેખ છે. તેમજ ૧૪૬૫–૧૪૬૧ અને ૧૪૭૫ના શિલાલેખે પણ છે. ૧૪૭પના લેખમાં તપાગચ્છીય વિદ્વાન શ્રી સેમસુંદરસૂરિજીના શિષ્યપરિવારનું અને “સાર્વજી જયરબિંગણી ” નું નામ જોવામાં આવે છે.
ઉપરના શિલાલેખમાં કેટલાક યુટિત છે અને કેટલાકમાં આચાર્યોનાં નામ નથી. ખાસ કરીને મલકારગચ્છ અને તપગચ્છનાં આચાર્યોનાં નામે જ મળે છે.