________________
અંગીયા
:
: ૧૬ :
જૈિન તીર્થોને
અંગીચા ભૂજથી ચૌદ પંદર ગાઉ દૂર આ ગામ છે. અહીં જૈનોની વસ્તી સારી અને ભાવિક છે. એક સુંદર નાનું નાજુક જિનમંદિર છે. અહીં હિંદભરમાં પ્રખ્યાતિ પામેલ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલ (પાલીતાણા)ના સંસ્થાપક અને પ્રેરણાદાતા બાલબ્રહ્મચારી પરમપૂજ્ય -શાસનપ્રભાવક શાસનદીપક પૂજ્ય ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી (કચ્છી) મહારાજને સં. ૧૯૭૪ ના આસો વદિ દશમના રાજ વર્ગવાસ થયેલ છે. ગામ બહાર ત્યાં તેમના દેહને અગ્નિસંસ્કાર કર્યો છે ત્યાં સૂપની સ્થાપના છે. ગામમાં જિનમંદિરમાં ગુરુદેવની પાદુકા સ્થાપન કરવામાં આવી છે. તેઓશ્રીએ કચ્છમાં વિચરી ઘણું ઉપકારે કર્યા છે તેઓશ્રીની શત્રુંજય તીર્થ રક્ષા સમયની સેવા, ગુરુકુળની સ્થાપના, જળપ્રલય સમયની અપૂર્વ સેવા, શાસનસેવા અને સમાજસેવા બહુ જ પ્રસિદ્ધ છે. કચ્છ વાગડ અને માગપટ તથા કંઠી પ્રદેશના સુધારા માટે પણ તેમણે ઘણું જ જહેમત ઉઠાવી હતી. માગપટની કેન્ફરન્સ પણ તેમણે સ્થાપી હતી. તેમજ પાલીતાણુ ગુરુકુળ વર્તમાન કમિટીને સોંપ્યા પછી કચ્છને માટે એક સુંદર વિશાળ ગુરુકુળ સ્થાપવાની પણ તેઓશ્રીએ તૈયારી કરી હતી. સુપ્રસિધ્ધ ધર્મપ્રચારક વિદ્વાન મુનિરાજશ્રી દશનવિજયજી, મુનિમહારાજશ્રી જ્ઞાનવિજયજી, મુનિરાજશ્રી ન્યાયવિજયજી આદિ ત્રિપુટી શિષ્યને દીક્ષા પણ તેઓશ્રીના શુભ હસ્તે કરછમાં જ આપવામાં આવી હતી.
આ ઉપરાંત કચ્છમા ભચાઉ, ભુજપુર, કાંડાગરા, નાનીખાખર, બીદડા, નાના તથા મેટા આસંબીયા, કેડાય, લાયજા, ડમરા વિગેરે સ્થળામાં જિનોની વસતિ સારી છે તેમજ પ્રાચીન અને ભવ્ય જિનમદિરાથી અલંકૃત છે. ખાસ દર્શનીય છે.
આપનું જન્મસ્થાન પણ કચ્છ ભૂમિ છે. પત્રી આપની જન્મભૂમિનું ગામ છે. સં. ૧૯૪૦ માં જન્મ, ૧૯૫૬ મા સ્થાનમામી દીક્ષા પણ કછ-પત્રીમાં જ થઈ હતી. આપના પિતાનું નામ ઘેલાશાહ અને માતાનું નામ સુભગાબાઈ છે. ૧૯૬૦ મા રહ્યા. દીક્ષા ત્યાગી અને એ જ સાલમાં સગી દીક્ષા પૂ. પા. આ. શ્રી વિજયકમલસુરીશ્વરજી મહારાજના શુભ હસ્તે જામનગરમાં થઈ હતી, આપના ગુરુદેવનું નામ શ્રી વિનયવિજયજી. મહારાજ હતું.