________________
ઇતિહાસ ]. • ૨૧૫.
ભીલડીયાજી વર્તમાન પરિસ્થિતિ
અત્યારે તે ગામ બહાર દૂરથી જૈન ધર્મશાળાના મકાને અને મંદિરના શિખરે દેખાય છે. નજીકમાં આવતાં જિનાલયની દેરીઓની ધ્વજાઓ અને ઘંટડીના મીઠા રણકા સંભળાય છે.
મેટા દરવાજામાં થઈ જૈન ધર્મશાળાના કમ્પાઉન્ડમાં જવાય છે. પાનસર જેવી વિશાળ ધર્મશાળા છે દક્ષિણ વિભાગમાં બે માળ છે. મંદિર પાસે પૂર્વ વિભાગમાં પણ માળ છે. બાકી ચારે તરફ ધર્મશાળા છે ધર્મશાળાને ચેક છોડી આગળ જતાં મંદિરને મોટો દરવાજે આવે છે અંદર જતાં પ્રથમ જ ભોંયરામાં ઉતરવાનું આવે છે. પગથિયાં ઉતરી અદર જતાં સુંદર વિશાલ મૂલનાયક ચદુકુલતિલક બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુનાં દર્શન થાય છે. તીર્થ માહાભ્ય છે શ્રી પાર્શ્વનાથજીનું જ્યારે મૂલનાયક છે શ્રી નેમિનાથજી શ્રી પાર્શ્વનાથ ભગવાન તે મૂલનાયકની ડાબી બાજુ ભારવટીયા નીચે બિરાજમાન છે
શ્રી ભીલડીયા પાર્શ્વનાથજીની પ્રતિમાજી નાના છે સુદર પરિકર અને સપ્ત ફણાથી વિભૂષિત છે આખુ પરિકર અને મૂલનાયક શ્યામ પત્થરના છે અને સાથે જ કેરેલ છે જેમના નામથી તીર્થની વિખ્યાતિ છે તે મલનાયકજી કેમ નથી? આ પ્રશ્ન બધાને વિચારમાં મૂકી દે છે.
ભીમપલ્લીમાં મદિર સ્થાપિત થયાને સંવત્ વિ. સં. ૧૩૧૭ મળે છે. આ માટે પંડિત લાલચંદ ભગવાનદાસ ભાઈએ એક પ્રમાણ આપ્યું છે કે “વિ. સ. ૧૩૩ માં શ્રી જિનેશ્વરસૂરિએ પાલણપુરમાં શ્રાવકધર્મપ્રકરણ રચ્યું હતું અને તેના ઉપર ૧૩૧૭ માં શ્રી લક્ષમીતીલક ઉપાધ્યાયે પંદર હજાર લેપ્રમાણ ટીકા રચી હતી. તેની સમાપ્તિ કરતાં ટીકાકાર જણાવે છે કે-આ વર્ષે ભીમપલ્લીનું વીર મદિર સિદ્ધ થયું. તે મૂળ ઉલેખ આ પ્રમાણે છે.
" श्रीवीजापुरवासुपूज्यभवने हैमः सदण्डो घटे । यत्रारोप्यथ वीरचैत्यमसिधत् श्रीभीमपल्ल्यां पुरि तस्मिन् चैक्रमवत्सरे मुनिशशि-नेतन्दुमाने चतुदश्यां मावसुदीह चाचिगनृपे जावालिपुर्यां विभौ । वीराहद-विधिचैत्यमंडनजिनाधीशां चतुर्विशति सौधेषु ध्वजदण्ड-कुम्भपटली हैमी महिलैर्महैः । श्रीमत्सरिजिनेश्वरा युगवराः प्रत्यष्ठुरस्मिन् क्षणे
टीकाऽलङ्घतिरेपिकाऽपि समगात् पूर्तिप्रतिष्ठोत्सवम् ॥" (પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના સંગ્રહની પ્રતિ, પ્રશરિતશ્લોક ૧૬-૧૭)