________________
ઇતિહાસ ] : ૨૪૯ :
ખંભાત ધારીઓને પાંચ વર્ણના રેશમી વસ્ત્રો અને સારી પહેરામણ મેકલ્યાં હતાં. તેમાં માંડવગઢના મંત્રીશ્વર પેથડકુમારને પણ આ પહેરામણ મેકલાવી હતી, જે જોઈ થિડકુમારે ૩૬ વર્ષની યુવાનવયે સજોડે ચતુર્થ વ્રત ઉચ્ચયું હતુ. આ શ્રીધર શેઠ ખંભાતના વતની હતા.
કવિ મેઘ અને કવિ ડુંગરે અહીંનાં મંદિરના દર્શન કરી તીર્થમાળામાં ખંભતનાં મંદિરોને અમર કર્યા છે. જિનપ્રભસૂરિજીએ પણ સ્થ ભનક કી લખે છે, જે આપણે ઉપર વાંચી ગયા. ૧૨૯૪ માં લખાયેલી સમરાઈશ્ચકહાની તાડપત્રીય પ્રત અને શ્રી હેમચંદ્રાચાર્યજી લિખિત પ્રાકૃત વ્યાકરણની તાડપત્રીય પ્રત શાંતિનાથજીના ભંડારમાં અહીં છે. ૧૩૫૬ માં બ્રહગચ્છના પદ્મચંદ્રસૂરિ પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ ચોકશીની પળમાં શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં છે. ૧૩૮૦ શ્રી કકસૂરિજી પ્રતિષ્ઠિત ચતુવિંશતિ જિનપટ્ટ શ્રી ચિતામણિના મંદિરમાં છે.
વિ. સં ૧૪૦૦ દેશળશાહના પુત્ર સહજપાળની ભાર્યા નયન દેવીએ કરાવેલ સમવસરણ ખારવાડાના શ્રી સીમંધર સ્વામીજીના મંદિરમાં છે.
ખંભાતના સત્યવાદી સોની ભીમનું દૃષ્ટાંત પણ પ્રસિદ્ધ છે, જેમણે જીવના જોખમે પણ સત્યવ્રત પાળ્યું હતું. આ સિવાય બીજા પણ પ્રાચીન અર્વાચીન ઘણા એતિહાસિક પ્રસંગે છે જે લંબાણના ભયથી નથી આપ્યા. વિશેષ જોવા ઈચ્છનાર મહાનુભાવે ખભાત ચિત્ય પરિપાટી નામનું પુસ્તક જેવુ.
મત્રીશ્વર કર્મચંદ્ર પ્રબંધમાં ઉલલેખ છે કે-સમ્રા અકબરે એક વર્ષ સુધી અહીંના દરીયામાંથી માછલી વગેરેના શિકારની બંધી કરાવી હતી.
અઢારમી સદીના પ્રસિધ્ધ તીર્થમાલાકાર શ્રી શીતવિજયજીએ પણ ખંભાતના મંદિરનું સુંદર વર્ણન કર્યું છે
સમરાશાહના પુત્ર સાજણસિહ ખંભાતમાં હતા ત્યારે સ ખલપુરના કેચરશાહે ખંભાતમાં આવી વ્યાખ્યાન વચ્ચે અરજ કરી બહુચરાજીની જીવહિંસા-બલિદાન બંધ કરાવવા વિનંતિ કરી હતી. સાસણસિંહે કેચર વ્યવહારને સ ખલપુર અધિકારી બનાવ્યા છે અને તેમણે બહુચરાજી પ્રમુખ બાર ગામમાં અહિંસાનો વિજય વાવટે ફરકાવ્યે હતે.
શ્રી હેમચંદ્રાચાર્યજીના સમયમાં સે કરોડપતિઓ અહીં વસતા હતા.
અહીંની જુમ્મામસિદ પશું એક પ્રસિધ્ધ જેન મંદિરનું જ રૂપાન્તર છે. અહીને જૂનો કિલે ખૂબ જ મજબૂત અને અભેદ્ય કહેવાતે. તેનાં ખંડિયે પs અત્યારે છે. ખભાતને દરિયા ૫ પ્રસિદ્ધ છે. ગુજરાતનું આ પ્રાચીન મહાન વ્યાપારી બંદર ગણાતું હતું. ૩૨