________________
ઇતિહાસ ]
: ૩પ૧ :
કાપરડાજી તીર્થ કહી. માતાનું દુખ– મહેણું ટાળવા માલાશાહે દોષ રહિત આવું ઊંચું ભવ્ય મંદિર બંધાવ્યું અને ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી ઘણું દાન આપ્યું.
માલાશાહે મદિરમાં બિરાજમાન કરેલા મૂલનાયક શ્રી શાંતિનાથજી હતા પરંતુ કાળવશાત એ મૂર્તિ ખંડિત થઈ હોય કે કેઈ હુમલા સમયે છુપાવી દીધી હોય તે ગમે તે બન્યું હોય એની કોઈને ખબર નથી, પરંતુ મૂલમૂતિના અભાવે વીસમી સદીમાં–સં. ૧૯૧૦ શાંતિ ભગવાનની નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને સ્થાપેલ છે. મૂલનાયકજી ઉપર સં. ૧૯૧૦ ને લેખ છે.
આ સિવાય શ્રી જિનભદ્રસૂરિજીની મૂર્તિ ઉપર નીચે પ્રમાણે લેખ છે–
" संवत १५१८ वपे ज्येष्ठशुदि ४ दिने उपकेशवंशे काकुशलाकेन सपरिकरेण श्रेयार्थ श्रीजिनभद्रसूरीश्वराणां मूर्तिः कारिता प्रतिष्ठिता खरत. रगच्छे श्रीजिनचंद्रसरिभिः ।
આવે જ એક લેખ ૧૬૧૪ ને છે લેખ લાંબે છે. પણ શરૂઆતને ગદ્ય વિભાગ આપું છું–
" संवत १६१४ वर्षे पीरमपुरे श्रीशान्तिनाथ चैत्ये मार्गशीपमासे प्रथमદિતી ઘહિને શ્રીહતર છે બીનિ-ચંદ્રરિવિનરાજે આગળ પદ્યબદ્ધ લેખ છે લંબાણના ભયથી નથી આપે.
બસ, ત્રીજું શ્રી શાન્તિનાથજીનું મંદિર છે. એમાં ર૭ જિનપ્રતિમાઓ અને ૮ ચરણપાદુકાઓ છે.
આ નગર, આ તીર્થસ્થાન સત્તરમી સદી સુધી બહુ જ સૌભાગ્યશાવી હતું પરંતુ ત્યારપછી ધીમે ધીમે પડનીના મુખમાં પડયું જે આખરે બરબાદ થયું. અત્યારે તે ગામડું છે. સુંદર ધર્મશાળા વગેરે છે. તીર્થ એકાન્તમાં સુંદર આત્મથાનને યોગ્ય છે.
કાપરડાજી તીર્થભૂ છે સ્વયં પાર્શ્વનાથજી ભારતવર્ષમાં રજપુતાના પ્રાંત બહુ જ પ્રસિદ્ધ છે. જેમાં રાજપુતાના વીરપ્રશ્નવિરભૂમિ તરીકે વિખ્યાત છે તેમજ એની ધર્મભાવના અને પ્રાચીન તીર્થભૂમિઓ માટે પણ આ પ્રદેશ પ્રસિદ્ધ છે. રાજપૂતાનામાં પાંચ ભાગ પ્રસિદ્ધ છે, મારવાડ, ઝાલાવાડ, મેવાડ, મેરવાડા, ... ... ... છે
૧. શિલાલેખ નો છે એટલે ખાખ નથી આ પરનું તેને સાર આ પ્રમાણે છે સંવત ૧૯૧૦ મહા સુદિ ૫ ને ગુડ્યારે જોધપુગનિવાસી વાળ મુતા અભયચંદના પાએ પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિહાપટ ખરતરગાકીય બાગાયથી જિનપ્રભસરિડ છે.