________________
આબૂ અચલગઢ : ૨૯૪
[ જૈન તીયોને તલેભ, કન્દ વિગેરે કંદની જાતિઓ તે તે કાર્યને સિદ્ધ કરનારી પગલે પગલે લેવાય છે. (૩૧) આ પર્વતના આશ્ચર્ય કરાવનારા કુડા, ધાતુઓની ખાણે અને અમૃત જેવા પાવાળાં ઝરણાઓથી યુક્ત સુંદર પ્રદેશ છે. (૩ર) અહીં ઊંચેથી પક્ષીએને અવાજ થતાં કેકુચિત કુંડથી પાણીને પ્રવાહ ખળખળ અવાજ કરતા ઉત્પન્ન થાય છે. (૩૩) અહીં શ્રીમાતા, અચલેશ્વર, વસિષાશ્રમ અને મંદાકિની વગેરે લૌકિક તીર્થો પણ છે. (૩૪) આ મેટા પર્વતના અગ્રેસરે પરમાર રાજાઓ હતા અને લક્ષ્મીને ભંડાર સમાન ચંદ્રાવતીપુરી તેઓની રાજધાની હતી. (૩૫) નિર્મળ બુદ્ધિવાળા દંડનાયક વિમળશાહે અહીં પિત્તલની પ્રતિભાવાળું રાષભદેવનું મંદિર બનાવ્યું. (૩૬)માતા અંબાની આરાધના કરી, સુત્રસંપત્તિની ઈચ્છા વિનાના તેણે (વિમળશાહે) ચંપક વૃક્ષની પાસે તીર્થસ્થાપનાની અભ્યર્થના કરીને, પુષ્પ માળાઓના હારવટે સુંદર અને બળદ જેવા મુખવાળા ગોમુખ(યક્ષ)ને જોઈને ત્યાં શ્રીમાતાના મંદિર પાસેની ભૂમિ દંડનાયકે લીધી.(૩૭-૩૮) ધાંધુક રાજાની ઉપર કોધિત થયેલા ગુર્જરેશ્વર (ભીમદેવને ભક્તિથી પ્રસારિત કરી અને તેના વચનથી
# આ વિમળશાહ ગુજરાતમાં અણહિલપુર પાટણની ગાદીએ થયેલા ચૌલુક્ય ભીમદેવના મંત્રી હતા. વિમળશાહના પૂર્વજો મારવાડના હતા. આજે ભિન્નમાલના નામે ઓળખાતા શ્રીમાળ નગરમાં નીના નામનો કેટયાધીશ રહેતા હતા. લક્ષ્મી.ઓછી થનાં તે ગુજરાતને ગાંભુ ગામમાં આવી રહેવા લાગ્યા. ત્યાં તેમને ઉદય ચે. આ નીના શેઠે પાટણમાં વિદ્યાધર ગચ્છ માટે શ્રી વર્ષભદેવજીનું મંદિર બંધાવ્યું હતું. તેમને લહર (લહધર) નામનો શુરવીર અને બુદ્ધિશાળી પુત્ર થશે. વનરાજે હરનાં શૌર્ય અને બુદ્ધિની પ્રશંસા સાંભળી તેને પિતાને સેનાપતિ બનાવ્યું. તેની સેવાથી પ્રસન્ન થઈ તેને સંડલ ગામ ભેટ આપ્યું હતું. તેને પુત્ર વીર મહત્તમ મૂળરાજને મંત્રી બન્યા. આ વીર મહમને નેઢ અને વિમલ એમ બે પુત્રો થયા. રાજખટપટ અને સંસારને પ્રપંચજાળ સમજતાં વીર મહત્તમે દીક્ષા લીધી હતી તેથી ભીમદેવ રાજાએ તે વખતમાં વંશપરંપરાથી મળતા મહામંત્રીપદે બે અને સેનાપતિપદે વિમલને નિયુક્ત કર્યો હતો. પાછળથી તે મંત્રીપદે નિયુક્ત થયો હતો. આ વિમળ અપુત્ર મરણ પામે એવા પ્રબન્ધકારના ઉલ્લેખ મળે છે પણ વિમળવસહીંમાંના અંબાજીની મૂર્તિ પર સં. ૧૮૯૪ના લેખમાં જ વિજયા એટલે વિમલના વંશજ અભયસિંહના પુત્ર જગસિંહ, લખમસિંહ અને કુરસી થયા, તથા જગસિંહને પુત્ર ભાણ થયા. તે સર્વે એ અંબાજીની મૂર્તિ આ મંદિરમાં સ્થાપન કરી એમ લેખ મળે છે. છતાં વિમલ પછીની વશાવળી મળતી ન હોવાથી તેમ પણ બનવા સંભવ છે. - ; ઘણાખ્યા હૈ જિલઇ .ક્ષમાદિ પ્રયતા સિરાવિદા .
हाथले स्वं कुरु सद्य सुन्दरं युगादिम निरपावसंप्रयः॥ श्रीविक्रमादित्य नृपादनपतीटादशीति बाते शरद · सहने । श्रीआदिदेवं शिखरेवुदस्य જિત જીવિત્ર થ (૨૦૦૮) - વિમલવસતિની પ્રશસ્તિ લે. ૧૦ ૧૧