________________
ઇતિહાસ ]
= ૨૮૭ .
આબૂ અચલગઢ એક જ છે અહીં ધર્મશાલા સુંદર છે. યાત્રિકે લાંબો સમય રહી શકે છે. હમણાં કારખાના તરફથી એક ભેજનશાળા ચાલે છે. કારખાના તરફથી એરીયાના રસ્તાની પરબ, એરીયા મંદિરની વ્યવસ્થા, આખરેડ ધર્મશાલા (આરણ તલાટી) અને ત્યાં યાત્રિકોને ભાતું અપાય છે. તથા અચલગઢનાં ચાર મરિની વ્યવસ્થા થાય છે.
આ અચલગઢ વિ. સં. ૧૫૦૯ મેવાડના મહારાણું કુંભાએ બંધાવેલ છે અચલગઢનું બે માળનું વિશાલ મદિર-ઍમુખજીનું મંદિર પણ અચલગઢવાસી સંઘવી સહસાએ બંધાવેલ છે.
શ્રી ગ્રાષભદેવછનું નાનું મંદિર. " કારખાનાથી ઉપર જતાં આદિનાથ ભગવાનનું નાનું મદિર આવે છે મલનાયક ઉપર ૧૭૨૧ ને લેખ છે. અમદાવાદવાસી શ્રીમાલીજ્ઞાતિય શેઠ શાંતિદાસે આ મતિ બનાવી છે અને પ્રતિષ્ઠા તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરિજીની પરંપરાના વિજયરાજસૂરિજીએ કરાવી છે. સંભવ છે કે આ મંદિર તેમણે બનાવ્યું હાય. મદિરની પ્રદક્ષિણામાં ૨૪ દેરીઓ, ચાર ચરણપાદુકાની ચાર છત્રીઓ અને એક ચક્રેશ્વરી દેવીની દેરી છે ભમતીની એક દેરીમાં પરિક રવાળી શ્રી કંથનાથ ભગવાનની પચતીથીની મૂર્તિ છે, તેના ઉપર વિ. સં. ૧૩૮૦ ને નાનો લેખ છે. ચકેશ્વરીની દેરી પાસે એક કેટડીમાં કાકની મનોહર કિન્ત અપ્રતિષ્ઠિત ચાર જિનમૂતિઓ છે. આ મંદિરમાં કુલ ૨૭ મતિઓ ૪ ચરણપાદુકા, હાથ જોડી સરસ્વતીદેવીની ૧ તથા ચક્રેશ્વરીદેવીની મૂતિ છે અને એક પાષાણુ યંત્ર છે. ત્યાંથી આગળ જતાં–
શ્રી આદીશ્વર ભગવાનનું (ચૌમુખજીનું) મંદિર અચલગઢના ઊંચા શિખર ઉપર આદિનાથ ભગવાનનું બે માળનું ગગનચુખી વિશાલ ચતુર્મુખ (મુખ) મદિર આવે છે. આ મંદિર રાણકપુરનું વિશાલ મંદિર બંધાવનાર માંડવગઢવાસી પોરવાડ જ્ઞાતિય ધરણાશાહના મેટાભાઈ સ ઘવી રતન શાહના પુત્ર સ ઘવી સાલિગના પુત્ર સહસાએ બ ધાવીને વિ સ ૧૫૬૯ માં પ્રતિષ્ઠિત કરાવેલ છે. પ્રતિષ્ઠાપક છે તપાગચછીય શ્રી સમસુંદરસૂરિજીની પટ્ટપરંપરાના શ્રી જ્યકલ્યાણસૂરિજી મહારાજ, ૧૫૬ના ફા. શુ. ૧૦ ને સોમવારે પ્રતિષ્ઠા કરી છે.
આ મંદિરમાં બનને માળમાં મળી ધાતુ અને આરસની બેઠી તથા ઊભી મળીને કુલ ૨૫ જિનમર્તિઓ છે. તેમાં બેઠી તથા ઊભી મળીને ધાતુની ૧૪ અને આરસની ૧૧, ધાતુની ૧૪ મૂતિઓમાંથી છ મૂર્તિઓ ઉપર તે સ. ૧૫૬૬ કા. શ. ૧૦ ના લેખો છે. બાકીની સાત મૂર્તિઓ બહારગામથી આવેલી છે. આરસની બધી મૂર્તિઓ બહારથી આવેલી છે. કુલ પચીશ મૂતિઓમાંથી ૨૧ મૂર્તિઓ ઉપર લેખ છે. ચાર પર લેખ નથી, ઉત્તરદિશા તરફના મુખ્ય મૂલનાયક આદિ