________________
શ્રી શત્રુંજય
: ૪૮ :
| જૈન તીર્થોને દેરી છે જેમાં ભરત મહારાજાનાં પગલાં છે. સં. ૧૬૮૫ માં તેની પ્રતિષ્ઠા થયેલી - છે. અહીં પહેલો હકો પૂર્ણ થાય છે. ઈચ્છા કુંડ
ધળી પરબથી સપાટી જેવા રસ્તામાં ચાલતાં પહેલો કુંડ આવે છે. તે કુંડ સુરતવાલા શેઠ ઈચ્છા દે ધાવેલ છે તેથી ઈરછાડ કહેવાય છે. અહીં પશુએને પાણી પીવાની પણ અનુકૂળતા છે. યાત્રિઓને બેસવા બેઠક વગેરે છે. કુમારપાળકુંડ–
અહીંથી આગળ વધતાં ઉચે પગથીયા ચઢીને જતાં, એક દેહરીમાં શ્રી રાષભદેવજી, શ્રી નેમિનાથજી અને તેમના ગણધર શ્રી વરદત્ત એ ત્રણેની પાદુકાઓ છે. તેની સામે બાંક-બેઠક જે વિરમે છે નેમિનાથજીની દેરીથી આગળ જતાં
ડે દર લીલી પરબ નામે વિસામાનું સ્થાન–દેરી આવે છે. અહીં શેઠ ડાહ્યાભાઈ દેવશી (કચ્છી)ના નામથી પરબ ચાલે છે. ત્યાથી ઘેડે દૂર જતાં બા હાથ ઉપર એક વિસામા દેરી છે, જેમાં સુરતવાળા શેઠ તલકચંદ માણેકચંદ તરફથી પરબ બેસાડેલી છે. તેની જોડે જમણે હાથ ઉપર કુમારપાલ કુંડ બનાવે છે. આ કુંડ ગુર્જરશ્વર પરમાતપાસક મહારાજા કુમારપાલ સોલકીએ બધાવેલ છે.
કુમારપાલ કુડથી આગળ જતાં એક સીધી ટેકરી ચઢવાની આવે છે. અહી ચઢાવ ઘણે જ કઠણ છે. આ રસ્તાને હિંગલાજને હડે કહેવામાં આવે છે. ટેકરી ઉપર હીંગળાજ માતાનું મંદિર છે. અહીં એક બારોટ બેસી યાત્રીઓની યાત્રા સકલ થયાનું અને અમુક મેળાના દિવસેમાં શ્રી ઋષભદેવજી પ્રભુના આટલા પુત્રો આજે સિધ્ધપદ પામ્યાનું કહે છે. સાથે જ આટલે કઠણ ચઢાવ ચઢીને આવ્યા છે તો મને પણ કંઈક આપો. દેવીને ચઢાવવાથી તમને ઉપર ચઢવ નું હવે વધુ કષ્ટ નહિ થાય એમ પણું સૂચવે છે. ત્યાંથી ઉપર જતા સામે જ વિશ્રાંતિ સ્થાન છે. ત્યાં બાક આકારના વિસામા છે. ત્યાંથી ઉપર જતાં જમણી બાજુ પથ્થરમાં સિંદુર પાના હાડેલ સ્થાનક છે, શેઠ કુટુંબ પોતાની આ કુલદેવી ખોડીયારના કર કરવા જતી વખતે આ સ્થળે પગે લાગી નાળિયેર પડે છે. અહીં સુધીમાં પહાડનો અધે રસ્તે પણ થાય છે. અહીંના વિશ્રાંતિસ્થાનમાં કચ્છી શેઠ હીરજી નાગજી તરફથી પરબ બેસાડેલી છે. પગથિયાનાં કઠે એક દેરી છે જેમાં કલિકુંડ પાશ્વનાથની પાદુકા છે. જેની સ્થાપના સં. ૧૮૩૫ માં કરવામાં આવી છે. આ રથાન વિશ્રાંતિ માટે ઘણું જ સારું-અનુકૂળતાવાળું છે.
૧ હીંગલાજને લડે, ક્રેડે હાથ દઇને ચાર ફૂટ પાપનો ઘડે, બાંધ્યો અન્ય પડે,