________________
ઈતિહાસ ] .: ૭૩ :
શ્રી શત્રુંજય પ્રસિદ્ધ થયું છે. શ્રી પુંડરીક ગણધર તે ભરત ચકીના મેટા પુત્ર થાય છે. તેમણે શ્રી ઝાષભદેવ પ્રભુજી પાસે પ્રથમ દીક્ષા લીધી અને પ્રથમ ગણધર બન્યા. તેમણે સવાકોડ શ્લોકનું શત્રુંજય માહાત્મ્ય બનાવ્યું હતું. શત્રુંજય માહાસ્યના આદિ કર્તા તેઓ છે. અહીં રંગમંડપમાં રાધનપુરવાળા કમળશીભાઈ ગુલાબચંદે રાષભદેવ પ્રભુના પાંચે કલ્યાણકના સુંદર ચિત્રા કરાવ્યાં છે. સાથે ચંદરાજા, સૂર્યકુંડ આદિ આદિને સૂચવનારા ચિત્ર ચિતરાવ્યાં છે.
મેટી ભમતી ત્રીજી પ્રદક્ષિણુની શ્રી પુડરીકસ્વામીજીના દહેરાની ડાબી બાજુથી શરૂ થાય છે તે તીથખાતાના ઓરડા સુધી દહેરીઓ ર૯, જેમા એક દહેરી ખૂની દારુ ભરવાની છે એટલે બાકી દહેરી ૨૮ માં પ્રતિમાજી ૧૬૦, પગલાં જેડ ૪, ગૌતમસ્વામીજીની મૂતિ ૧ આમાં ચાવીશીઓની પ્રતિમા એક ગણું છે.
રથખાનાની એારડી પાસે દેરાસરજી શિખરબંધી છે જેમાં પ્રતિમાજી ૧૪ છે. દહેરું શ્રી રાષભદેવજીનું બે બારણાવાળું છે. | ઉપલા દેરાસરથી શ્રી અષ્ટાપદજીના દેરાસર સુધી દહેરી ૨૧ ગેખલા સુધ્ધાં છે. તેમાં પ્રતિમાજી ૪૮ અને પગલાં જેડી ૧.
શ્રી કષભદેવજીનું દેહરૂં (શ્રી સીમંધરસ્વામીનું દહેજે)
આ દેહરામાં ભૂલનાયક શ્રી ત્રાષભદેવજી ભગવાન્ છે પરંતુ જનતામાં આ મંદિર “વર્તમાન કાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધરસ્વામિનું દેહરૂં” એ નામથી પ્રસિદ્ધ છે પરંતુ વાસ્તવિક રીતે એમ નથી આ મંદિર શ્રી રાષભદેવજીનું જ છે. આ મંદિર મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ તેજપાલે બંધાવેલું છે એમ કહેવાય છે. , પરંતુ અત્યારે મૂલનાયક શ્રી ત્રાષભદેવજી છે. તેમાં ગાદીમાં લેખ છે. લેખ નીચે આપું છું. લેખનો ભાવાર્થ એટલે છે કે
“સં. ૧૯૭૭માં માગશર શુદિ ૫ ને રવિવારે, વૃધ્ધશાખાના, ઓસવાલ જ્ઞાતીય, અમદાવાદનિવાસી શ્રાવક ચાંપશીએ કુટુમ્બ સહિત શ્રી આદિનાથ ભગવાનનું બિંબ બનાવરાવ્યું અને પ્રતિષ્ઠા તપાગચ્છીય જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજીના પ્રશિષ્યના હાથે થઈ હશે પરંતુ છેલ્લું નામ નથી વંચાતું,
संवत् १६७७ वर्षे मार्गशीर्ष शुक्ल ५ रवौ वृद्धशाखायां श्रीओसवाल ज्ञातीय अहम्मदावादवास्तन्य सा० येकर भार्या लाडको सुत सा० मानसिघ
આમાં સંક્ષેપમાં કુટુંબ પરિચય અને ૧૫૪૭માં વૈશાખ વદિ ૬ પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ છે.
અત્યારે તે આપણુ પાસે મહાભાવિક શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજકૃત શ્રી શત્રુંજય માહામ્ય વિદ્યમાન છે,