________________
-
-
- -
- -
-
- - - -
-
- -
- -
-
- - -
ઇતિહાસ ]
શ્રી શત્રુંજય જેમના વચનથી ગુજરાત આદિ દેશોમાં મંદિર વગેરે બનાવવામાં શ્રાવકોએ અગણિત વ્યય કર્યો. જેમણે ગુજરાત અને માલવ આદિ અનેક સંઘ સાથે શજયની યાત્રા કરી,
શ્રી વિજયસેનસૂરિજી મહારાજને પરિચય એ જ શિલાલેખમાં નીચે મુજબ આપે છે. “શ્રી હીરવિજયસૂરિની પાટે શ્રી વિજયસેનસૂરિ જયવંતા વતે છે. * * * એમને પણ અકબરશાહે વિનયપૂર્વક લાહેરમાં બોલાવ્યા હતા, કે જ્યાં અનેક વાદીઓ સાથે વાદ કરી તેમણે વિજય મેળવ્યો અને બાદશાહના મનને ખુશ કર્યું. બાદશાહે હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાને આપ્યા હતાં તે બધાં વિજયસેનપ્રભાવક ગુરુશિષ્ય ઉ. ભાનચંદજી તથા સિદિચંદ્રજીને લેખ મે. દ. દેશાઈને પ્રગટ થએલ છે તે જુઓ.
૧. શ્રી હીરવિજયસૂરિજી મહરાજ સંધ સહિત પાલીતાણે પધાર્યા ત્યારે બીજા ૭૨ સંઘ સાથે હતા. હજારો સાધુ સાધ્વીઓ અને લાખોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સાથે હતી. ૧૬૫માં શત્રજયની પ્રતિષ્ઠા કરાવી તે પહેલાં પણ સૂરિજીએ ૧૬૨૦ ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠા કરાવી હતી. સૂરિજી મહારાજનો જન્મ પાલણપુરમાં ૧૫૮૩માં થયેલ, દીક્ષા ૧૫૯૬માં, પતિપદ ૧૬૦૭માં, સૂરિપદ ૧૬૧૦માં થયેલ. ૧૬૩૯ માં જેઠ રુ. ૧૦ને દિવસે થએલ બાદશાહ અકબરના ભાનભયી નિમ ત્રણને માન આપી ફત્તેહપુર સીક્રમાં ભળ્યા. મોગલ યુગમા મોગલ બાદશાહને પ્રતિબોધ આપવાના દ્વાર સૂરિજી મહારાજે જ ખેલાં હતાં, સાથે છ મહિના અહિંસા, તીર્થરક્ષા, ગેરક્ષા, છયારે માફ આદિ મહાન કાર્યો શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પ્રશિહસ્થોએ જ કરાવ્યાં હતાં. સમ્રાટ અકબરે સૂરિજી મહારાજના અદ્દભૂત ત્યાગ, તપસ્યા, ઉત્તમ ચારિત્ર અપૂર્વ જ્ઞાનાદિ ગુણોથી આકઈ જગદ્ગુનું ગૌરવવતું બિરૂદ આપી અદભૂત અને અપૂર્વ માન આપ્યું હતુ. સૂરિજી મહારાજના શિષ્યોએ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ આદિને પણ ઉપદેશ આપ્યો હતો.
૨. શ્રી વિજયસેનસૂરિજીને બાદશાહ અકબરે આપેલ ફરમાન સૂરીશ્વર ને સમ્રાટમાં પ્રગટ થયેલ છે. સૂરીશ્વર અને સમ્રાટમાં શ્રી હીરવિજયજી, શ્રી વિજયસેનસૂરિ, ઉ. ભાનુચંદ્ર તથા સિદિચંદ્ર, વિવેકહર્ષ ગણિ વગેરેનાં સમ્રાટે આપેલા ફરમાનપત્રે પ્રગટ થયાં છે તે તથા આઇને અકબરીમાં સમ્રાટ અકબરના દરબારના વિદ્વાનોનાં નામોમાં પણ શ્રી હીરવિજયસરિ, શ્રી વિજયસેનસૂરિ અને ઉ, ભાનુચછનાં જ નામ છે. આ બધુ જોતા શ્રી હીરવિજયસરીશ્વરજીએ અને તેમના શિષ્ય પરિવાર મોગલ સમ્રાટ ઉપર જે પ્રભાવ અને જન ધર્મની ઊંડી છાપ બેસારી છે અને જેનશાસનની પ્રભાવનાના જે મહાન કાર્યો કરાવ્યાં છે તેવાં મહાન કાર્યો બીજું કઈ કરાવી શકાયું નથી. સાથે જ ગૌવધબધ, છછયાવેરે મા, તીર્થોની રક્ષા વગેરે મહાન કાર્યો પણ તેઓ જ કરાવી શકાય છે. બાદશાહ અકબરને અહિંસાનું દિવ્ય અમૃત પાન કરાવી જૈન ધર્મને દઢ અનુરાગ કરવાનું માને