________________
सुसाधु (निर्लेप) अधिकार.
તૃપ્તિ ગુણને પ્રાપ્ત થયેલ સાધુ નિલેપ થવાને અધિકારી થાય છે, તેથી તૃપ્તિ પછી નિર્લેપ અધિકારને પ્રસંગ આપે છે.
આ સંસારમાં પ્રત્યેક સંસારી જીવ સ્વાર્થ બુદ્ધિથી દેહ, ધન, કુટુંઆદિ મમત્વ ભાવમાં લેપાય છે, એ લેપને લઈને સંસારને કાજળના ગૃહની ઉપમા અપાય છે, એ સંસારરૂપ કાજળના ગૃહમાંથી મુક્ત થયેલ જ્ઞાની મુનિ તેમાં લેપાત નથી. કારણ કે, તેની મને વૃત્તિમાં પુદગલ ભારતરફ કઈ જાતની અહંતા રહેતી નથી. તે પિતાને પરભાવથી ભિન્ન શુદ્ધાત્મા સમજે છે. એ સમજૂતીથા તેનામાં નિર્લેપ ભાવ પ્રગટે છે, જે ભાવ પરિણામે જ્ઞાનીને મુક્તિમાર્ગમાં પૂર્ણ સહાયકારી થાય છે. તેથી નિર્લેપ ભાવ સુસાધુને ઉચ્ચ ગુણ છે, તે અહિં કહેવામાં આવે છે. સ્વાર્થસિદ્ધ પુરૂષ સંસારમાં લેપાય છે, જ્ઞાનસિદ્ધ પુરૂષ તેમાં કદિ
પણ લપાતું નથી,
अनुष्टुप. संसारे निवसन् स्वार्थसज्जः कजलश्मनि ।
लिप्यते निखिलो लोको ज्ञानसिद्धो न लिप्यते ॥१॥ શબ્દાથ–સંસારરૂપ કાજળમય ગૃડમાં રહેતે સ્વાર્થ તત્પર, નિખિલ લેક લેપાય છે. જ્ઞાનસિદ્ધ લેપતે નથી
વિવેચન-સ્વાર્થ એટલે પિતાના દેહ, ધન કુટુંબાદિ મમત્વ ભાવને જે લે તેમાં તત્પર એવે સમસ્ત પ્રાણીઓને સમૂહ કાજળમય ગૃહમાં, ભવવાસમાં રહેતે સતે લેપાય છે, પાપ કર્મરૂપી ધૂલિથી ઢંકાય છે. જ્ઞાનવાન્ મુનિ લેપતે નથી–બંધ હેતુથી બંધાતું નથી. જે પુકલ ભાન કરનાર, કરાવનાર અને અનુમોદન કરનાર નથી
તે આત્મજ્ઞાની શી રીતે સંસારમાં લેપાય? नाहं पुद्गलभावानां, कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥२॥