________________
પરિચ્છેદ
સુરસાધુ-(નિબંધ) અધિકાર છે.-ભારે છે. વિશાલ બંધ કરીને અતિ મહાન છે, તેઓનું એક રોમ પશુ-જીવપ્રદેશ પણ-પૂર્વોક્ત ભયથી કંપતું નથી. જ્ઞાનરૂપી મહાન રાજ્ય ઉપર રહેલા સાધુને કેનો ભય છે?
चित्ते परिणतं यस्य चारित्र्यमकुतोभयम् ।
अखण्डज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ॥ ८॥ શબ્દાર્થ–ભય રહિત ચારિત્ર જેના ચિત્તમાં વ્યાપ્યું છે, એવા અખંડ જ્ઞાન રાજ્યવાળા સાધુને ક્યાંથી ભય હોય?
વિવેચન—જેને વિષે કાંઈ ભીતી નથી, જેમાં સકલ નિભાવની નિવૃત્તિ થઈ છે, એવું ચારિત્ર જે ભવ્ય પુરૂષના મનમાં સકલ આત્મપ્રદેશમાં અગાંગભાવ થયું છે એવા, જેનું જ્ઞાન રાજ્ય સ્વભાવ અનુયાયી રાજ્ય મિથ્યાત્વાદિ અદૂષિત છે, એવા સાધુને તેનાથી ભય હેય? અર્થત કઈ કારણથી ભય હાય નહી.
ઉત્કર્ષને નિર્ભયતાની શી જરૂર છે તે વિષે સ્વાનુભવને દાખલો આપું છું. એક વખત હિમાલયના ઘેર અરયમાં અચાનક પાચ રીંછ “રામ” ના શરીર ઉપર ધસી આવ્યાં, પરંતુ તેઓ “રામને બિલકુલ ઈજા કરી શક્યાં નહિ. એનું કારણ શું? ફક્ત નિર્ભયતા. હું દેવ નથી, મન નથી, હું સર્વેશ્વર છું. પરબ્રહ્મ છું. અગ્નિ મહને બાળી શકતું નથી અને શસ્ત્ર મને છેદી શકે તેમ નથી? ઇત્યાદિ ભાવનાઓમાં “રામ” તદ્રુપ બની ગયું હતું, તેથી તે રીંછની સામે એકી ટશે જોતાં જ તે ન્યાસી ગયાં. એક વખત તે ડોળા દેખાડતાં જ એક હિંસક વરૂ હારી ગયું. બીજી એક વેળાએ એક વાઘ પણ એવી જ રીતે હસાડયા.
ગામડાંઓની શેરીઓમાં ચાલતાં ભીતિનાં ચિન્હ બતાવતાં જ કુતરાંઓ ભસે છે, પાછળ દોડે છે અને સતાવે છે એ શું હમે નથી અનુભવ્યું ? ગભરાઈશું તે કુતરાઓ પણ આપણને ફાડી ખાશે, પરંતુ નિર્ભય રહીશું તે વાઘ વરૂને પણ છતીને પાળેલા કુતરા જેવા કરી દઈશું. કોઈ પણ પ્રવાહી પદાર્થ એક વાસણમાંથી બીજામાં નાખતાં હાથ જરીક પણ કંપતાં જ તે પદાર્થ ઢોળાય છે. પરંતુ વિચારે કર્યા વગર અને ધ્રુજ્યા વગર એકદમ તે બીજા વાસણમાં રેડ એટલે એક ટીપું પણ ઢેળાશે નહિ.
ઉનનાં ગરમ કપડાંઓથી આચ્છાદિત થએલે ખાસે સાડા ત્રણ મણને દેહ એકાદ ક્ષુલ્લક ફટાકડાના અવાજથી, હાના સરખા ઉંદરથી, ખડખડ થતાં પાંદડાંથી એટલું જ નહિ પણ એકાદ ચંચળ છાયાથી પણ ડરીને પાછો પડે એ શું ઓછું શોચનીય છે?
-
૨
-