________________
પરિચ્છેદ
તીર્થ માહાત્મ-અધિકાર ભીમ મંત્રી પાસે આવ્યા. મંત્રીને તે કળશ સંબંધી વૃત્તાંત કહીને તીર્થોદ્ધારને માટે તે આપવા લાગ્યા. મંત્રીએ લેવાની ના કહી પણ ભીમ બળાત્કાર આપવા લાગ્યા, એમ ખેંચતાણ કરતાં રાત્રિ પડી. રાત્રિએ કપદ યક્ષે આવીને ભીમને કલ કે “હું ભીમ ! તેં એક રૂપીયાના પુષ્પ લઈને આદીશ્વરની પૂજા કરી, તેનાથી પ્રસન્ન થઈને મેં તને નિધિ આપે છે, માટે તે તું વેચ્છાથી ભગવ.” એમ કહીને યક્ષ અંતર્ધન થયે. પ્રાતઃકાળે ભીમે મંત્રીને વાત કરી, પછી સુવર્ણ તથા રત્નનાં પુષ્પોથી આ દીશ્વરની પૂજા કરીને તે કળશ લઈ ભીમ પિતાને ઘેર આવ્યો અને ગૃહસ્થની જેમ પુણ્યમાર્ગમાં પ્રવૃત્ત થયે.
અહીં મંત્રીએ શુભ મુહૂર્ત કોષનું ચૈત્ય દૂર કરાવી સુવર્ણની વાત મૂર્તિ વિધિ પૂર્વક પૃથ્વીમાં સ્થાપન કરી, તેની ઉપર મોટી શિલા મુકી ખાતમુહુર્ત કર્યું. પછી ચિત્યનું કામ શરૂ કર્યું. તે પાષાણમય પ્રાસાદ બે વર્ષે સંપૂર્ણ થયે. તે પૂર્ણ થયાના સમાચાર આપનારને મંત્રોએ વધામણીમાં બત્રીશ સુવર્ણની જહવા આપી. તે સંબંધી હર્ષોત્સવ ચાલે છે, તેવામાં બીજા માણસે આવીને કહ્યું કે “હે મંત્રી ! કોઈ પણ કારણથી પ્રાસાદ ફાટી ગયે. ” તે સાંભળીને મંત્રીએ તેને બમણી વધામણ આપી. તે જોઈને પાસે બેઠેલા માણસોએ તેનું કારણ પૂછ્યું. ત્યારે મંત્રી છે કે મારા જીવતાં- પ્રાસાદ ફાટયે તે ઠીક થયું, કેમકે હું ફરીથી બીજી વાર કરાવીશ.” પછી મંત્રીએ સૂત્રધાર (સલાટે)ને બે લાવીને પ્રાસાદ ફાટવાનું કારણ પૂછયું. ત્યારે તેઓ બેલયા કે “હે મંત્રીરાજ! ભમતીવાળા પ્રાસાદની ભમ. તીમાં પવન પેઠે? તે નીકળી શકશે નહીં, એટલે તેના જેરથી પ્રાસાદ ફાટકે છે, અને એ ભમતી વિનાને પ્રાસાદ કરીએ છીએ તે કરાવનારને સંતાન ન થાય એ લેખ છે.” તે સાંભળીને મંત્રીએ વિચાર્યું કે
संतानः सुस्थिरः कस्य, स च भावी भवे भवे ।
सांप्रतं धर्मसंतान, एवास्तु मम वास्तवः ॥१॥ ભાવાર્થ_“કેની સંતતિ અચળ રહી છે? તે તે દરેક ભવમાં થયા જ કરે છે, માટે હાલ તે માટે વાસ્તવિક એવા ધર્મસંતતિ જ હો.”
એમ વિચારીને મંત્રીએ ફરતીની બન્ને ભીંતેના વચમાં મજબૂત શિલાઓ મુકાવીને તે પૂરી દીધી. તે પ્રાસાદ ત્રણ વર્ષ પૂર્ણ થયું. આ જીર્ણોદ્ધાર કરાવતાં મંત્રીને બે કરોડને સત્તાણું લાખ દ્રશ્યને ખર્ચ કારીગરોને આપવામાં થયું છે, એમ પૂર્વ પુરૂષે કહે છે.
પછી તે પ્રાસાદની પ્રતિષ્ઠા કરવા માટે શ્રીસંઘ સહિત હેમચંદ્રાચાર્યને બેલાવીને મોટા ઉત્સવ પૂર્વક સંવત ૧૨૧૧ ની સાલમાં (શનીવારને દિવસે) સુવર્ણ ના દંડ, કળશ અને દવાની પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાર ઉપર સ્થાપન કર્યા ત્યાં દેવ