________________
૧૭૩
વાસ્તવિક રીતે જોઈએ તે જગત નાનું હશે, પણ કલ્પનાના જગતના વિસ્તારનો પાર નહિ ! જે વાસ્તવિક દુનિયામાં ને મળે તે માનસિક દુનિયામાં મળે ! એને અર્થ સંજ્ઞી . બન્ય-મનવાળો બન્યું તે ભયંકર ગુને કે બીજું કંઈ ? તુચ્છ યોનિઓમાં મન નહેતું, વિચાર-શક્તિ ન હતી, હવે વિચારક શક્તિવાળ માનવ બન્ય, તે એ વિચારશકિત એને માટે ઉપકારક બની કે મારક બની ? જે માણસે વિકલ્પની દુનિયામાં પડી ગયા, તેમને પાપને પાર નહિ. કેમકે કુવિકલ્પ છે ! જે જે, એક જ મનથી બે જાતનાં કાર્ય થઈ શકે છે. સજ્ઞાન, સાવધાન મનમાં સુવિચારોનું જગત રચાય; તેથી મહાન પાપક્ષય અને પુણ્યપાર્જન ! અજ્ઞાનતાવાળું મન કુવિકલપની દુનિયા સર્જાશે, જેમાં રૌદ્રધ્યાન અને નરકનાં ભાતાં ભેગાં થશે ! તેંદુલીયે મચ્છ નાનકડો છતાં ઘેર નરકમાં કેમ જાય ? માનસિક કુવિકલપના પાપે. મન છે. એટલે એમને એમ સીન રહેવાય ! વિચારણા તે ચાલે ને ? તે ગમે તે વિચારણા ચાલે તેવું છેરણ રખાય? ધારો કે જંગલમાંથી જતા માણસને વિષવૃક્ષ મળ્યું. તો શું એમ કહે કે “ભાઈસાબ મેં છે એટલે ગમે તે મેંમાં નખાય જ ને?” તે તે ઝેર પણ નખાય? ના, ત્યાં તે ઝટ કહેશે ગમે તે ન ખવાય. ગંડેરી, ચવાય, પણ માત્ર શેરડી પર જીવતા ઉંટના મીઠા લીંડા ન ચવાય. તે પછી શું વિચારે ગમે તે કરાય ? કે વિવેક જોઈએ ? સારા-ખેટાની પરખ જોઈએ ?