________________
સરળ સ્વભાવી શિખીકુમાર છે! એ વિચારે છે . “અહો! શું માતાની ભક્તિ છે! શું ધર્મશ્રદ્ધા છે ! એને પુત્ર સાધુ. એના માટે એ મગરૂબી માને છે અને સાધુભક્તિ મળે તેને તે ધન્ય દિવસ અને સફળ જીવન માને છે ! માટે એના માનસિક પરિણામ બગડવા ન જોઈએ. આ ન સ્વીકારીએ તે જિંદગીભર દુર્યાનમાં સળગી મરે ! ને શ્રદ્ધા ગુમાવી દુર્યાનમાં પડે, તે દુર્ગતિમાં ફેલાઈ જાય, માટે અપવાદ માગ જે પડશે !” એમ વિચારી કહે છે,
તે પછી, મા, તમારી જેવી ઈચ્છા, પણ જુઓ ફરીથી સાધુ માટે આ આગ્રહ નહીં કરવાને !
માતા ખૂશી દેખાડી કહે છે, “અહોહો ! આજ તે મારે કલ્યાણના પુષ્પરાવર્ત મેઘ વરસ્યા ! ફરી કદી આ આગ્રહ નહીં કરું !'
મુનિ કહે છે, “ઠીક ત્યારે, એમ કરે કે આ સાધુને પાત્રામાં વહોરાવી દે.
તે વખતે આ વિચારે છે, “અહો આ તે મુશ્કેલી થઈ! એમ આપી દઉં ને એ બીજા સાધુઓને આપે તે ? મારૂં મુખ્ય કામ રહી જાય ! એમને ત્યાં હું ક્યાં જોવા જવાની ? મારે તે મારા હાથે કેળી ખવરાવ છે ! એટલે પાછી વચકી ! –