________________ 33 પણ વર્ણવ્યવસ્થા બગડવા લાગી હતી; અને આમાં કુસંપ અને કલહ વધ્યાં હતાં. હિંદુસ્તાનમાં મુસલમાની રાજ્ય જામવાનું આ પણ એક કારણ છે. દરેક રાજ્ય પિતાને જ વિચાર કરી બેસી રહેતું; અને પાડોશી રાજ્યોનું બૂરું ચાહતું. બ્રાહ્મણ વર્ગ હજી પવિત્ર ગણતા હતા, પણ તેમનું બ્રહ્મતેજ જતું રહેવા લાગ્યું હતું. દેશમાં હજી કળા હુન્નર હતાં, પણ વેપારને ધક્કો લાગવા માંડ્યો હતો. તથાપિ રજપૂત સમયમાં આચરણને અમુક નમુનો સચવાઈ રહ્યો હતો. સત્ય, ટેક, પ્રમાણિકપણું, શૌર્ય, પરાક્રમ ઇત્યાદિ સદા હતા. પરંતુ રાજાઓ ઘણું રાણુઓ પરણતા, અને અન્ય લેકેમાં પણ તે ચાલ થયો હતો. તથાપિ સ્ત્રીઓની સ્થિતિ એકંદરે સુખી હતી. રજપૂતાણીઓ અદ્યાપિ પર્યત પણ ડાહી, ઠાવકી, અને ચતુર ગણાય છે. સ્વતંત્રતાને જુસ્સો પણ કાંઈક રહ્યા હતા. પરંતુ મુસલમાનોને સમય આવતાં આ ગુણે પણ નાશ પામવા લાગ્યા. ધર્મધ મુસલમાને હિંદુઓને વટલાવવાનો પ્રયત્ન કરતા, હિંદુઓ ઉપર ભારે કર નાંખતા, અને સામા થતા તેમને છુંદી મારતા. આવા ત્રાસથી કેટલાક હિન્દુઓ મુસલમાન થઈ ગયા, અને એટલી નાત વધી. લોકે નિર્માલ્ય અને તેજહીન થઈ ગયા, અને રિવાજ પૂર જોશમાં ચાલવા લાગ્યા. મંત્ર જંત્રાદિ વહેમનાં ઝુંડ ઉભાં થયાં; અને અનેક મતમતાંતર ચાલવા લાગ્યા. આર્યશાસ્ત્રોના બંધ શિથિલ થવા લાગ્યા અને લેકને માથે અનેક જાતની વિટંબણાઓ પડવા લાગી. પરંતુ આ દુઃખદ ચિત્રમાં એક રેખા સારી હતી. મોગલ શહેનશાહોએ હિન્દને ઘર ગણુ રાજ્યની જમાવટ અહીં જ કરી; તેથી હિન્દની સંપત્તિ હિન્દમાંજ હેતીઅને કળા અને કારીગીરીને ઉત્તેજન મળતું. ભવ્ય ઇમારતે બધા ણ, અને હિન્દના છીંટ, મજલીન ઈત્યાદિ યુરોપમાં જતાં. વળી ત્રાસ અને જુલમના સમયમાં હિન્દુઓને પિતાના ધર્મનો આગ્રહ વધ્યો, અને તેથી દિલસોજી અને સંપ વધ્યાં. પણ અસલની વિદ્વત્તા અને સત્ય-પ્રેમ રહ્યાં નહિ; તેથી શાસ્ત્રના અનુકૂળ અર્થ થતાં અજ્ઞાન અને વેહેમ વધ્યાં.