________________ કરવાની બુદ્ધિ થઈ. અને વહાલી વસ્તુઓને દેવોને ભેગ અપાવા લાગે. સમય જતાં પિતૃપૂજા થવા લાગી અને પિતૃઓ દેવ ગણાવા લાગ્યા. તેમાંથી સ્વર્ગને વિચાર જન્મ પામ્યો; પરંતુ તેથી આર્ય-ભાવના સંતુષ્ટ થઈ નહિ. છેવટે એ વિચાર આવે કે દેવ અમર છે તે મનુષ્યો પણ કેમ અમર ન હોઈ શકે? તેથી જીવ બ્રહ્મના વિચાર થવા લાગ્યા, અને ન્યાય, સાંખ્ય, વેદાંતાદિ દર્શને પ્રાદુર્ભાવ પામ્યાં. પરંતુ યજ્ઞકાળમાં યજ્ઞો કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ વિચાર આગળ આવ્યો. આની નીતિ મૂળથીજ સામાજીક (ઈને તેમાં સ્વાર્થ ત્યાગ અને આત્મ-ભોગનાં તો પ્રથમથી જ હતાં. આ તો યજ્ઞકાળમાં બહુ બહાર આવ્યાં. યજ્ઞમાં મુખ્ય રહસ્ય સ્વાર્થ-ત્યાગનું જ છે. બળીદાન એટલે ભોગ આપવાની વાત યજ્ઞમાં મુખ્ય છે. તેથી અશ્વમેધ, અજામેધ ઇત્યાદિ ય થવા લાગ્યા. વખતે નરમધ પણ થતા હતા. વખત જતાં યોની વ્યવસ્થા બહુ બારીક થઈ પડી, અને આખું આર્યજીવન યોથી ભરાઈ ગયું. કેટલાક યો કે જે સત્ર કહેવાતા તે બહુ લાંબો કાળ ચાલતા અને તેમની ક્રિયા બહુ સૂક્ષ્મ અને ચેકસ રીતે થતી હતી. તેથી કરીને યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ વર્ગ બહુ આગળ પડ્યો, અને પશુહિંસા વધી પડી. બૌદ્ધધર્મ અને જૈનધર્મ આ વાતની સામે થયા. બૌદ્ધધર્મને આગ્રહ જાતભેદને તેડવાને પણ હતું. આ પ્રમાણે આર્ય ધર્મમાંજ વિરોધ ઉત્પન્ન થયો. તેથી કરીને બ્રાહ્મણને પણ વેદધર્મનું સ્વરૂપ સમથને અનુકૂળ કરવાનું આવશ્યક લાગ્યું. પરિણામે પુરાણના શૈવ, વૈષ્ણવ ઇત્યાદિ ધર્મો ચાલ્યા અને આગળ જતાં બંગાળામાં શાકમત ચાલ્ય, અને કાળી, દુગ ઇત્યાદિ દેવીઓ પૂજાવા લાગ્યાં. અત્યારે તે મત મતાંતર અને પંથોને પાર રહ્યો નથી. અદ્યાપિ પર્યત આયીની આંતર વ્યવસ્થા આપણે જોઈ. ધીમ ધીમે આખા ભારત વર્ષમાં તેઓ પથરાઈ ગયા; વર્ણાશ્રમ ધર્મ બંધાઈ ગયે; નાનાં મોટાં રાજ્યો સ્થપાયાં; ધર્મ ભાવના રૂપાંતર પામતી ગઈ;