________________ 32 અંદર અંદર વિખવાદ શરૂ થયે; જંત્રતંત્રાદિ વહેમ છેક અથર્વ વેદના કાળથી તેમનામાં પેસવા માંડયા હતા; શાક્તમત પણ ચાલવા લાગે, અને તેથી આના જીવનમાં અધમતા આવવા લાગી. આ બધું આપણે જાણ્યું. આવી પરિસ્થિતિમાં હવે બાહ્ય તત્વનું મિશ્રણ થવા માંડે છે. - આર્યાવર્ત અતિ સમૃદ્ધિવાન દેશ છે. અને હીરા માણેકનો દેશ છે એવી ખ્યાતિ છેક વેદકાળથી પણ પરદેશમાં તેની થઈ હતી, કારણ કે આર્યાવર્તને વેપાર મિસર, બાબીલન, ઇરાન ઈત્યાદિ દૂર દેશાવરે સાથે ચાલેલું હતું. તેથી પરદેશીઓને હિંદને બહુ મેહ રહેતો હતો. બૌદ્ધ અને જૈન ધર્મની અસરથી અને ગરમ દેશની હવાના પ્રતાપે આર્ય પ્રજાનાં સત્વ અને પરાક્રમ શિથિલ થવા લાગ્યાં હતાં. . સ. પૂર્વે ચોથા શતકથી પરદેશીઓના હુમલા થવા લાગ્યા, અને તેથી દેશની પાયમાલી થવા લાગી. પ્રથમ દારા આવ્યા. પછી સિકંદર આવ્યો. સિકંદર પછી તેના પ્રાંતના હાકેમે આ તરફ આવવા લાગ્યા; પણ તેમાંથી કોઈ અહીં રાજ્ય બાંધી રહ્યું નહિ. ઈસવીસનના આરંભમાં શક કેકેએ કાશ્મીરમાં રાજ્ય સ્થાપ્યું, અને આ લેકે ચારે તરફ દેશમાં હુમલા કર્યા કરતા. આવી સ્થિતિ લગભગ પાંચસે વર્ષ ચાલી. તે પછી થોડાક સમય આર્યબુદ્ધિ પાછી જાગ્રત થઈ, પ્રજામાં ચંચળતા આવી; અને વ્યાકરણ, ભાષ્ય ઇત્યાદિ ગંભીર ગ્રંથ લખાયા. પરંતુ મુસલમાન ધર્મનું જોર વધતાં મુસલમાનોની ચડાઈઓ આ દેશ ઉપર થવા લાગી. મહમદ ગઝનીએ તે હદ વાળી. તેરમા સૈકાથી તેમનું રાજ્ય શરૂ થયું. સોળમા સૈકામાં મોગલેએ રાજ્ય સ્થાપ્યું. મેગલેના સમયમાં પણ વલંદા, ખેંચ, અંગ્રેજ ઈત્યાદિ યુરોપીય પ્રજાઓ હિંદુસ્તાનમાં વેપાર અર્થે આવતી થઈ હતી. તેમાંથી અંગ્રેજોએ ધીમે ધીમે પિતાની વગ વધારી પોતાની સત્તા સર્વોપરી કરી. આ સઘળી બીના ઇતિહાસમાં જાણીતી છે. આ ઐતિહાસિક પરિવર્તનથી હિંદુઓનું હિંદુપણું તો છેક ન ગયું, પણ તેમનું આર્યત્વ નષ્ટપ્રાય થઈ ગયું, મુસલમાની સમય જાગ્યા પહેલાં