________________
૧૦૧
તરીકે સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ માટેનું મુખ્ય કારણ તેમની ચપળ વ્યવસ્થા–શક્તિ અને કાર્ય કુશળતા જ છે. મુશ્કેલીના સંજોગોમાં પણ તેઓ શાન્ત રીતે અદભૂત સામને કરી શકશે.
આ ઉપરાંત આ લોકે વૈદ, ડૉકટરે, શસ્ત્રો તેમજ મીકેનીક એજીનીયર તરીકે પણ સારી નામના મેળવી શકે છે. કુદરતી રીતે જ તેમની વલણ રસાયણિકવિદ્યા તરફ વળેલી હોય છે એટલે તેઓ દવાવાળા તેમજ રંગનાર તરીકે પણ સુંદર કાર્ય કરી શકે છે.
આ લેકે માન–ચાંદનાં પ્રેમી હોય છે. તેમનાં કામને લોકે વખાણે-વાહવાહ બોલે તે તેમને ખૂબ ગમે છે. આ ગુણને લઇને સ્વાભાવિક રીતે જ તેમને સરકારી નોકરી વિશેષ પ્રમાણમાં ગમે છે. ઉંચા હોદાઓ લેવા–તે માટે પ્રયત્ન કરો એ આ લોકોની ખાસ ટેવો છે.
આ લોકમાંના કેટલાકે સારું જ્ઞાન સંપાદન કરે તો તેઓ ડીટેકટીવો તરીકે પણ સારી કીતિ મેળવી શકે છે. સૂક્ષ્મ અભ્યાસની તેમની ટેવ હોવાથી આ ધંધો તેમને સારી તક અપાવે છે. ટીકાકારે, કટાક્ષકારે ખાસ કરીને આજ તારીખમાં જન્મેલા માલમ પડી આવે છે.
વૈજ્ઞાનિકે તરીકે પણ આ લોકોને ઝળકતી ફતેહ મળે છે. પ્રસિધ્ધ વૈજ્ઞાનિક સર રમન વેંકટ પણ આજ તારીખેમાં જન્મ્યા હતા. લેખકે, ટીકાકારે, પત્રકારે અને જાહેર વક્તાઓ મુખ્યત્વે આ રાશિની તારીખમાં જન્મેલા મળી આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com