________________
પર
આગમ કથાનુયોગ-૩
પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું અને મારા માટે કંઈપણ કરો નહીં, કરાવો નહીં કે કરનારની અનુમોદના પણ ન કરો. એવા પ્રકારનું પ્રત્યાખ્યાન પણ કરીશું. આવા શ્રમણોપાસક કંઈ ખાધા કે પીધા વિના, સ્નાન કર્યા વિના, આસનેથી ઉતરીને જો કાળધર્મ (મૃત્યુ) પામે તો તેમના કાળધર્મના વિષયમાં શું કહેવાશે ?
તેઓ સમ્યક્તયા કાળધર્મ પામ્યા, તેવું જ કહેવું પડે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે, અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાનું શરીરવાળા અને દીર્ધકાળની સ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી ઘણાં વધુ છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેવા પ્રાણી ઘણાં થોડા છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન નથી હોતું. તેથી તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરાંત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરત શ્રાવકને માટે તમે લોકો અથવા અન્ય જે કોઈ આ પ્રમાણે કહે છે કે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો ત્યાગ થઈ શકે. એ કથન ન્યાયસંગત નથી.
ભગવત્ (ગૌતમે) કહ્યું, આ સંસારમાં કોઈ એવા મનુષ્ય હોય છે જેવા કે, મહાનું ઇચ્છાવાળા, મહાનું આરંભવાળા, મહા પરિગ્રહવાળા, અધાર્મિક – યાવતુ – અધર્મથી વૃત્તિ ઉપાર્જન કરનારા તથા હનન, છેદન, ભેદન અને જીવોને કાપવા, વધ કરવાથી જેમના હાથ ખૂનથી રંગાયેલા છે, ચંડ, રુદ્ર, શુદ્ધ, સાહસિક, ચાપલૂસ, વંચક, માયાવી, કપટી, કૂડકપટમાં રત, ઉત્તમ વસ્તુ સાથે હલકી વસ્તુની ભેળસેળ કરનારા, દુઃશીલવાળા, વ્રતહીન, ઘણી જ મુશ્કેલીએ પ્રસન્ન થનારા અને અસાધુ હોય છે.
તેઓ જીવનપર્યત માટે સમસ્ત પ્રાણાતિપાતથી નિવૃત્ત થતા નથી – યાવત્ – જીવનપર્યત સમસ્ત પરિગ્રહોથી નિવૃત્ત થતા નથી. જો શ્રમણોપાસક વ્રતગ્રહણ કરવાના સમયે આવા પ્રાણીઓનો ઘાત કરવાનો મરણપર્યંત ત્યાગ કરે છે, તેવા પુરુષ કાળધર્મના સમયે પોતાના આયુષ્યને છોડી દે છે અને છોડીને પોતાના પાપકર્મોને પોતાની સાથે લઈને દુર્ગતિને પામે છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે તેઓ મહાકાય અને દીર્ધકાળની સ્થિતિવાળા હોય છે આવા ઘણાં પ્રાણીઓ છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે અને એવા પ્રાણી ઘણાં થોડા છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન હોતું નથી. તેથી તે મહાનું ત્રસકાયની હિંસાથી ઉપરત, વ્રતમાં સ્થિત અને પ્રતિવિરત શ્રમણોપાસકને માટે તમે લોકો અથવા અન્ય કોઈ જે આ પ્રમાણે કહે છે કે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસક એક પ્રાણીના દંડનો પણ ત્યાગ કરી શકે – એ કથન ન્યાયસંગત નથી.
ભગવદ્ (ગૌતમે) કહ્યું, સંસારમાં કોઈ મનુષ્ય એવો પણ હોય છે, જેઓ આરંભ કરતા નથી, પરિગ્રહ રાખતા નથી, ધાર્મિક – યાવત્ – ધર્મ વડે જ વૃત્તિનું અર્જન કરતા વિચરણ કરે છે, સુશીલ, સુવતોના ધારક, સરળતાથી પ્રસન્ન કરવા યોગ્ય અને સુસાધુ હોય છે. જે જીવનપર્યત માટે સંપૂર્ણ પ્રાણાતિપાતથી વિરત હોય છે – યાવત્ – જીવનપર્યતને માટે પરિગ્રહથી પ્રતિવિરત હોય છે. શ્રમણોપાસક વ્રતગ્રહણ સમયથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org