________________
૨૪૪
આગમ કથાનુયોગ-૩
-
ધ શ્રેષ્ઠી સમાન ગુરુ ભગવંત, પુત્રો સમાન સાધુઓ, ભવરૂપ અટવી, આહારને સુધર્મ સમાન અને રાજગૃહીને શિવનગર સમાન જાણવું.
જેમ અટવીને પાર પામવા કે વિસ્તાર પામવાને માટે તેઓએ પુત્રીનું માંસ ખાધું તેમ સાધુઓ પણ (આસક્તિ) રહિત એવો આહાર ગુરુની આજ્ઞાપૂર્વક કરે છે. તે આહાર વર્ણ, બળ, રૂપના હેતુ માટે ભાવિતાત્મા–મહાસત્ત્વશાળી કરતા નથી પણ ભવને ઓળંગી જવાને તથા મોક્ષ સાધનાના હેતુ માટે તેઓ આહાર કરે છે.
૦ આગમ સંદર્ભ :આયા ૧૩૯; નાયા. ૨૦૮ થી ૨૧૧ + 4. ભરૂ. ૮૮; સંથા. ૮૫, મરણ. ૪ર૮ થી ૪૩૧
વવ.ભા. ૪૪૧૯ + ૬ જીય ભા. પ૩૩; આવનિ ૮૭૨ થી ૮૭૬ + % આવ.યૂ.૧-પૃ. ૪૯૭, ૪૯૮;
– ૮ – ૮ – ૦ પુંડરીક-કંડરીક કથા :
તે કાળ અને તે સમયમાં આ જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહમાં સીતા નદીના ઉત્તર કિનારે નીલવંત નામક વર્ષધર પર્વતના દક્ષિણમાં, ઉત્તર તરફના સીતામુખ નામક વનખંડથી પશ્ચિમમાં અને એક શૈલક નામના વક્ષસ્કાર પર્વતથી પૂર્વ દિશામાં પુષ્કલાવતી નામે વિજય છે.
તેમાં પંડરીકિણી નામની રાજધાની છે, જે નવયોજન પહોળી અને બાર યોજના લાંબી – યાવત્ – સાક્ષાત્ દેવલોક સમાન મનોહર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.
તે પુંડરીકિણી નગરીના ઇશાન ખૂણામાં નલિનીવન (નલિની ગુલ્મ) નામનું એક ઉદ્યાન છે.
તે પુંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મ નામે રાજા હતો. તેની (પત્ની) પદ્માવતી નામે રાણી હતી. તે મહાપા રાજાના પુત્ર અને પદ્માવતી દેવીના આત્મજ એવા બે રાજકુમાર હતા. પુંડરીક અને કંડરીક. જેમના હાથપગ આદિ અંગોપાંગ સુકુમાર હતા. ૦ મહાપદ્મ રાજાની પ્રવજ્યા, પુંડરીકનો રાજ્યાભિષેક :
તે કાળ અને તે સમયે સ્થવર મુનિ ભગવંતોનું આગમન થયું – યાવત્ – તેઓ નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. મહાપદ્મ રાજા (વંદન-શ્રવણને માટે) નીકળ્યા. ધર્મ સાંભળ્યો. મહાપદ્મ રાજાએ આવીર ભગવંતોને કહ્યું કે, હું પુંડરીકકુમારને રાજ્યભાર સોંપી દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું. ત્યારે સ્થવરમુનિએ કહ્યું કે, જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી પુંડરીકને રાજ્ય પર સ્થાપી મહાપા રાજાએ દીક્ષા લીધી. ત્યારપછી પુંડરીક રાજા થયો – યાવત્ – વિચરવા લાગ્યો. ત્યારે કંડરીક કુમાર યુવરાજ થયો. પુંડરીક રાજાની આજ્ઞા લઈ ઉદાયન રાજાની માફક અણગાર બનેલ મહાપદ્મ રાજાએ દીક્ષા લઈને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. (વિશેષ વિગત માટે કથા જુઓ “ઉદાયન રાજર્ષિ") ત્યારપછી સ્થવરમુનિઓ બહારના જનપદમાં વિચરણ કરવા લાગ્યા.
ત્યારપછી મહાપદ્મ અણગાર ઘણાં વર્ષો સુધી ગ્રામર્થ્ય પર્યાયનું પાલન કરી, ઘણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org