________________
૨૬૪
આગમ કથાનુયોગ-૩
૦ ગજસુકુમાલ કથા :
તે કાળે, તે સમયે બારાવતી (દ્વારિકા) નગરી હતી. અહંતુ અરિષ્ટનેમિ પધાર્યા. ૦ છ સહોદર અણગાર દ્વારા તપ સંકલ્પ :
તે કાળ, તે સમયે અહંત અરિષ્ટનેમિના શિષ્યોમાં છ સહોદર (સગા) ભાઈઓ શિષ્ય હતા. તે બધાં જ સમાન આકૃતિવાળા, સમાનરૂપવાળા અને સમાન વયવાળા હતા. તેમની શરીરની કાંતિ નીલકમલ, ભેંસના શીંગડાનો આંતરિક ભાગ અને અલસીના ફૂલની સમાન નીલવર્ણની હતી. તેઓનું વક્ષસ્થળ શ્રીવત્સ નામના ચિન્હ વિશેષથી અંકિત હતું. તેમના માથા પર ફૂલોના સમાન કોમળ અને કુંડલની સમાન ગુંચળાવાળા ઘુંઘરાળા વાળ શોભાયમાન હતા. તેઓ સૌંદર્ય અને ગુણોમાં નલકૂબેર સમાન હતા. (આ છ ભાઈ એટલે પૂર્વોક્ત સુલતા પુત્ર અનીયસ, અનંતસેન, અજિતસેન આદિ છ કુમારો)
ત્યારપછી તે છ એ અણગાર જે દિવસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગારત્વ અંગીકાર કર્યું - પ્રવજિત થયા. તે જ દિવસે તેઓએ અત્ અરિષ્ટનેમિને વંદના-નમસ્કાર કર્યો. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવદ્ અમે આપની આજ્ઞા પ્રાપ્ત કરીને જીવનપર્યત નિરંતર છટ્ઠ–છટ્ઠ ભક્ત તપકર્મ દ્વારા સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવાની ઇચ્છા રાખીએ છીએ.
હે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી તે છ એ અણગાર અર્હત્ અરિષ્ટનેમિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી થાવજજીવનને માટે નિરંતર છઠ છઠ તપકર્મ દ્વારા સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ છ એ અણગારોનું છઠના પારણે નીકળવું :
ત્યારપછી તે છ એ અણગારે કોઈ એક દિવસે છઠ ભક્તના પારણાના અવસરે પહેલા પ્રહરે સ્વાધ્યાય કર્યો, બીજા પ્રહરે ધ્યાન કર્યું, ત્રીજા પ્રહરે અત્વરિત, અચપળ, અસંભ્રાંતપણે મુહપત્તિનું પડિલેહણ કર્યું. પડિલેહણ કરીને ઉપકરણો અને વસ્ત્રોનું પડિલેહણ કર્યું. તેનું પડિલેહણ કરી પાત્રોની પ્રમાર્જના કરી, પ્રમાર્જીને પાત્રોને ઉઠાવ્યા. ઉઠાવીને જ્યાં અહંત અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને અહંત અરિષ્ટનેમિને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને છઠ ભક્તના પારણાને માટે ત્રણ સંઘાટકમાં (ત્રણ મુનિ યુગલ રૂપે) દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાના નિમિત્તે પરિભ્રમણ કરવા ઇચ્છિએ છીએ.
હે દેવાનુપ્રિયો ! જેમ સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી તે છ એ અણગાર અત્ અરિષ્ટનેમિની આજ્ઞા પ્રાપ્ત કરી અર્વત્ અરિષ્ટનેમિને વંદના, નમસ્કાર કરે છે. વંદના–નમસ્કાર કરીને અર્હત્ અરિષ્ટનેમિ પાસેથી સહસ્ત્રાપ્રવનથી નીકળે છે. નીકળીને ત્રણ સંઘાટકોમાં ત્વરારહિત, ચપળતારહિત અને સંભ્રાન્તરહિત ગતિ વડે યુગપ્રમાણ ભૂમિને દૃષ્ટિ વડે જોતા-જોતા, અર્થાત્ ઇર્યાસમિતિના પાલનપૂર્વક ગમન કરતા–કરતા જ્યાં દ્વારિકા નગરી છે ત્યાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org